જાન્યુઆરી 21, 2026 8:17 પી એમ(PM)

views 10

ગુજરાત મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આજે નિવૃત થયા

મૂળ ગુજરાતનાં અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આજે નિવૃત થયા. સુનિતા વિલિયમ્સે 27 વર્ષની નોંધપાત્ર સેવા બાદ અવકાશ સંસ્થા નસામાંથી નિવૃત્તિ લીધી. એક સત્તાવાર નિવેદનમાં નાસાએ જણાવ્યું હતું કે, વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક-ISS માટે ત્રણ મિશન પર ઉડાન ભરી, 608 દિવસ અવકાશમાં વિતાવ્યા હતા, જે નાસા ...

જાન્યુઆરી 21, 2026 8:17 પી એમ(PM)

views 4

826 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીના 8 આરોપીની સુરતમાંથી ધરપકડ

સાયબર ગુનેગારો સામેના ઓપરેશન મ્યુલ હંટ હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે સુરતમાંથી મોટી સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. જેમાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 826 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરી હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું

જાન્યુઆરી 21, 2026 8:16 પી એમ(PM)

views 9

કેન્દ્ર સરકારે અટલ પેન્શન યોજના વર્ષ 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી

કેન્દ્ર સરકારે આજે વર્ષ 2030-31 સુધી અટલ પેન્શન યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે, સાથે જ પ્રમોશનલ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે ભંડોળ સહાયનો વિસ્તાર પણ કરવામાં આવ્યો છે. આ યોજના મે 2015 માં અસંગઠિત ક્ષેત્રના કામદારોને વૃદ્ધાવસ્થાની આવક સુરક્ષા પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. આજે નવી દિલ્...

જાન્યુઆરી 21, 2026 8:16 પી એમ(PM)

views 8

રાજ્ય સરકારે 12 હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરી

રાજ્ય સરકારે 12 હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરી છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ટેકાના ભાવે ખરીદી માટે 10 લાખ 11 હજારથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી 6 ફેબ્રુઆરી સુધી ચાલશે.

જાન્યુઆરી 21, 2026 8:16 પી એમ(PM)

views 5

વિકાસકામોની ગુણવત્તા અંગે કોઇપણ પ્રકારની બાંધછોડ ન કરવા સબંધિત વિભાગોને મુખ્યમંત્રીની તાકીદ

રાજ્યમાં વિકાસકામોની ગુણવત્તા અંગે કોઇ પણ પ્રકારની બાંધછોડ ન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સબંધિત વિભાગોને તાકીદ કરી છે. આજે ગાંધીનગર ખાતે રાજ્યમંત્રી મંડળની બેઠકમાં અનુદાનના અભાવે કોઇ કામ અટકવું ન જોઇએ તેવી કડક સૂચનાઓ પણ મુખ્યમંત્રીએ આપી હતી. વધુ માહિતી પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ...

જાન્યુઆરી 21, 2026 1:36 પી એમ(PM)

views 36

નાગપુરમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી ટી-20 મેચ રમાશે

પુરુષો ક્રિકેટમાં, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે પાંચ મેચની T-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ માટે આ એક મહત્વપૂર્ણ શ્રેણી રહેશે. મેચની પૂર્વસંધ્યાએ બોલતા, સૂર્યકુમાર ય...

જાન્યુઆરી 21, 2026 1:35 પી એમ(PM)

views 13

પ્રારંભિક મોટા કડાકા બાદ ભારતીશ શેરબજારમાં સુધારો

વિશ્વની વર્તમાન રાજકીય પરીસ્થિતી વચ્ચે આજે ભારતીય શેરબજારમાં પ્રાંરભિક તબક્કે મોટું ગાબડુ પડ્યું હતું. ગૃહ વપરાશની ચીજવસ્તુઓ , આઇટી જેવા ક્ષેત્રોમાં ભારે વેચવાલીને કારણે એક સેન્સેક્સ 850 અને નિફ્ટીમાં 220થી વધુ પોઇન્ટ ગગડી ગયો હતો. જોકે ત્યારે બાદ માર્કેટમાં સુધારો થયો હતો અને ઘટેલા શેરબજાર ઉચકાયું ...

જાન્યુઆરી 21, 2026 1:35 પી એમ(PM)

views 6

નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 27 વર્ષની નોંધપાત્ર સેવા બાદ અવકાશ એજન્સીમાંથી નિવૃત્ત થયાં

નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 27 વર્ષની નોંધપાત્ર સેવા બાદ અવકાશ એજન્સીમાંથી નિવૃત્તિ લીધી. ગયા મહિનાની 27મી તારીખથી અમલમાં આવનારી નિવૃત્તિની જાહેરાત નાસા દ્વારા આજે સવારે કરવામાં આવી હતી, નાસાએ એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે, વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે ત્રણ મિશન પર ઉડાન ભરી હતી...

જાન્યુઆરી 21, 2026 1:34 પી એમ(PM)

views 13

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે કહ્યું કે, બૂથ લેવલ અધિકારીઓ દેશમાં ચૂંટણી માટેનો આધારસ્તંભ

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું છે કે બૂથ લેવલ અધિકારીઓ દેશમાં ચૂંટણી માટે પાયાનો આધારસ્તંભ છે. આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ 2026 ને સંબોધતા શ્રી કુમારે કહ્યું કે, ભારત લોકશાહીની જનેતા છે અને લોકશાહીને મજબૂત બનાવવા માટે દરેક લાયક મતદા...

જાન્યુઆરી 21, 2026 1:34 પી એમ(PM)

views 4

સ્પેનિશ સમકક્ષ સાથેની વાતચીતમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, આતંકવાદ સહિતના મુદ્દાઓ પર વિશ્વના દેશોનો પારસ્પરિક સહયોગ આજની અનિવાર્ય આવશ્યકતા

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે આતંકવાદ સામે લડવા સહિતના મુદ્દાઓ પર વિશ્વના દેશોએ સહયોગ કરવો વર્તમાન સમયમાં અનિવાર્ય આવશ્યકતા બની ગઇ છે. ખાસ કરીને. ડૉ. જયશંકરે આજે નવી દિલ્હીમાં તેમના સ્પેનિશ સમકક્ષ જોસ મેન્યુઅલ આલ્બારેસ બ્યુનો સાથેની વાતચીતના પ્રારંભિક સત્ર દરમિયાન આ મુદ્દા પર ભાર મૂક્યો ...