ડિસેમ્બર 16, 2024 2:19 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 2:19 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય દિવસના અવસર પર કહ્યું કે આ દિવસે વર્ષ 1971માં ભારતની ઐતિહાસિક જીતમાં યોગદાન આપનારા બહાદુર સૈનિકોની હિંમત અને બલિદાનનું દેશ સન્માન કરે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય દિવસના અવસર પર કહ્યું કે આ દિવસે વર્ષ 1971માં ભારતની ઐતિહાસિક જીતમાં યોગદાન આપનારા બહાદુર સૈનિકોની હિંમત અને બલિદાનનું દેશ સન્માન કરે છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રીમોદીએ કહ્યું કે સૈનિકોના નિઃસ્વાર્થ સમર્પણ અને અતૂટ સંકલ્પે દેશનું રક્ષણ કર્યું અને ગૌરવ અપાવ્યું. ...

ડિસેમ્બર 16, 2024 2:18 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 2:18 પી એમ(PM)

views 4

મહાન તબલાવાદક ઝાકિર હુસૈનનું ગઈકાલે રાત્રે અમેરિકામાં 73 વર્ષની વયે અવસાન થયું છે

મહાન તબલાવાદક ઝાકિર હુસૈનનું ગઈકાલે રાત્રે અમેરિકામાં 73 વર્ષની વયે અવસાન થયું છે. પરિવારજનોના સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ મધુપ્રમેહ સંબંધિત સમસ્યાથી પીડાતા હતા. આ પહેલા તેમને હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે સેન ફ્રાન્સિસ્કૉની એક હૉસ્પિટલમાં પણ દાખલ કરાયા હતા. ઉસ્તાદ ઝાકિર હુસૈન પ્રખ્યાત તબલાવાદક અલ્લા ...

ડિસેમ્બર 16, 2024 2:17 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 2:17 પી એમ(PM)

views 4

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટની આજે ત્રીજા દિવસની રમત વરસાદના કારણે અટકાવી દેવાઈ હતી

ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બનના ગાબા ખાતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટની આજે ત્રીજા દિવસની રમત વરસાદના કારણે અટકાવી દેવાઈ હતી. આ પહેલાં ભારતે ચાર વિકેટે 48 રન બનાવ્યા હતા. અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઇનિંગમાં 445 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.. ભારત તરફથી જસપ્રિત બૂમરાહે છ વિકેટ ઝડપી હતી.

ડિસેમ્બર 16, 2024 2:16 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 2:16 પી એમ(PM)

views 4

છત્તીસગઢના બાલોદ જિલ્લામાં આજે એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે

છત્તીસગઢના બાલોદ જિલ્લામાં આજે એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. જ્યારે સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ભાનુપ્રતાપ પુર-દલ્લી રાજહરા રોડ પર ચૌરાપાવડ ગામ પાસે ટ્રકે કારને ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. કારમાં 13 લોકો સવાર હતા.

ડિસેમ્બર 16, 2024 11:47 એ એમ (AM) ડિસેમ્બર 16, 2024 11:47 એ એમ (AM)

views 4

મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપમાં ભારત ચેમ્પિયન

ઑમાનના મસ્કતમાં ગઈકાલે રાત્રે રમાયેલી મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારત વિજયી બન્યું છે. ભારતે ચીનને 3-2થી હરાવ્યું હતું. શૂટઆઉટમાં સાક્ષી રાણા, ઈશિકા અને સુનિલિતા ટોપ્પોએ ગોલ કર્યાં. જ્યારે ભારતીય ગૉલકીપર નિધિએ પેનલ્ટી શૂટઆઉટમાં ત્રણ ગૉલ બચાવ્યાં હતાં.    આ પહેલા જિનઝુઆન્ગે...

ડિસેમ્બર 16, 2024 11:42 એ એમ (AM) ડિસેમ્બર 16, 2024 11:42 એ એમ (AM)

views 2

આજે લોકસભામાં ‘એક દેશ એક ચૂંટણી’ સંબંધિત 2 ખરડા રજૂ કરાશે

લોકસભામાં આજે “એક દેશ એક ચૂંટણી” સંબંધિત 2 ખરડા રજૂ કરાશે.કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂનરામ મેઘવાલ ગૃહમાં બંધારણ 129મા સુધારા ખરડો અને કેન્દ્રશાસિત પ્રદેશ અધિનિયમ સુધારા ખરડો રજૂ કરશે. તાજેતરમાં જ સરકારે સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી કરવા માટે એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવ પર વિચાર માટે નિમાયેલી ઉચ્ચ સ્તર...

ડિસેમ્બર 16, 2024 11:36 એ એમ (AM) ડિસેમ્બર 16, 2024 11:36 એ એમ (AM)

views 10

કચ્છમાં પ્રવાસનને વધુ વેગ આપવા રણ પ્રવાસન સર્કિટ વિકસાવાશે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કચ્છમાં પ્રવાસનને વધુ વેગ આપવા આગામી સમયમાં રણ પ્રવાસન સર્કિટ વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ગઇકાલે  ધોરડોના સફેદ રણની ઔપચારિક મુલાકાત દરમિયાન એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યુ હતું કે, રણોત્સવમાં આવતા પ્રવાસીઓ માતાના મઢ, કાળો ડુંગર, નારાયણ સરોવર, માંડવી જેવા અન...

ડિસેમ્બર 16, 2024 11:24 એ એમ (AM) ડિસેમ્બર 16, 2024 11:24 એ એમ (AM)

views 21

સેમી કન્ડક્ટર ઉત્પાદનનું ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બનશે : સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ગઇકાલે સુરતથી સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ માટેના રાજ્યના પ્રથમ આઉટ સોર્સ્ડ પ્લાન્ટનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે સી આર પાટીલે ઈલેક્ટ્રોનિક ઉત્પાદન માટે સૌથી અગત્યનું રો-મટીરીયલ ગણાતા સેમી કન્ડક્ટર ઉત્પાદનનું ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્...

ડિસેમ્બર 15, 2024 7:27 પી એમ(PM) ડિસેમ્બર 15, 2024 7:27 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ અને કાર્યો દેશની એકતા અને અખંડિતતા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં દેશવાસીઓ માટે પ...

ડિસેમ્બર 15, 2024 7:24 પી એમ(PM) ડિસેમ્બર 15, 2024 7:24 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાના ગાયત્રી આશ્રમ, ગધેથડ ખાતે આયોજીત ગુરૂપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાના ગાયત્રી આશ્રમ, ગધેથડ ખાતે આયોજીત ગુરૂપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા હતા. પ્રજાની સુખાકારી માટે તેમણે ગાયત્રી મંદિરમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી, અને આશ્રમના મહંત શ્રી લાલ બાપુના આશીર્વાદ પણ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગધેથડ ...