ડિસેમ્બર 24, 2024 2:02 પી એમ(PM) ડિસેમ્બર 24, 2024 2:02 પી એમ(PM)

views 4

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશના ખજૂરાહોમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશની મુલાકાત લેશે.તેઓ ખજુરાહોમાં અનેકવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કેન-બેતવા નદીને જોડતી રાષ્ટ્રીય પરિયોજનાનો શિલાન્યાસ કરશે, જે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના...

ડિસેમ્બર 24, 2024 1:59 પી એમ(PM) ડિસેમ્બર 24, 2024 1:59 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની બજેટ પૂર્વની બેઠકમાં દેશના અર્થશાસ્રીઓ સાથે બેઠકમાં ભાગ લીધો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપી હતી.આગામી બજેટ પૂર્વની બેઠક યોજાઇ હતી.જેમાં દેશના અર્થશાસ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.કેન્દ્રીય નાણામત્રી નિર્મલા સિતારમણની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રધાનમંત્રીએ વિવિધ આર્થિક મુદ્દાઓ અંગે અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરી હતી...

ડિસેમ્બર 24, 2024 9:54 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:54 એ એમ (AM)

views 5

સુશાસન દિવસથી મુખ્યમંત્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે ‘સ્વાગત 2.0’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ લોન્ચીંગ કરાશે

આવતીકાલ એટલે કે 25મી ડીસેમ્બર 2024ના સુશાસન દિવસથી મુખ્યમંત્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ ટેકનોલોજીના ત્વરીત ઉપયોગથી વધુ સુદ્રઢ અને અસરકારક બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સ્વાગત 2.૦’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ લોન્ચીંગ કરશે પાયલોટ પ્રોજેકટ તરીકે મહેસુલ અને પં...

ડિસેમ્બર 24, 2024 9:52 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:52 એ એમ (AM)

views 3

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા 'નો ડિટેન્શન પોલિસી' નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતની તમામ શાળાઓમાં આ નીતિનું ચૂસ્ત પણે પાલન થઈ રહ્યું છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, ધોરણ પાંચ અને ધોરણ આઠની વાર્ષિક પર...

ડિસેમ્બર 24, 2024 9:51 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:51 એ એમ (AM)

views 9

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં ‘સુશાસન પદયાત્રા’ યોજશે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં 'સુશાસન પદયાત્રા' યોજશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતનમાં ઉજવણીમાં સામેલ થવા માટે પંદર હજારથી વધુ MY Bharat યુવા સ્વયંસેવકો વડનગરમાં આવ્યા છે. ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભા...

ડિસેમ્બર 24, 2024 9:49 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:49 એ એમ (AM)

views 3

આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે આકાશવાણી, અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ‘આજના સમયમાં ગ્રાહક સુરક્ષા’ વિષય પર વિશેષ ચર્ચા રજૂ કરવામાં આવશે

આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે આકાશવાણી, અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ‘આજના સમયમાં ગ્રાહક સુરક્ષા’ વિષય પર વિશેષ ચર્ચા રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય ગ્રાહક નિવારણ પંચનાં સભ્ય ભરત પંડ્યા અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખુંટ વચ્ચેની આ ચર્ચા આજે રાત્રે 9-15 કલાકે પ્રસારિત કરવામાં આ...

ડિસેમ્બર 24, 2024 9:48 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:48 એ એમ (AM)

views 10

રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો

રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર 26 થી 28 ડિસેમ્બર દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતમા...

ડિસેમ્બર 24, 2024 9:46 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:46 એ એમ (AM)

views 4

ભરૂચ જિલ્લાના ઝઘડિયામા દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીનું મોત થયું

ભરૂચ જિલ્લાના ઝઘડિયામા દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીનું મોત થયું છે. સતત સાત દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું. વડોદરા સયાજી હોસ્પિટલમાં સોમવારે સાંજે તેને અંતિમ શ્વાસ લીધો હતો. બીજી તરફ ચકચારી દુષ્કર્મના મામલામાં આરોપીને સોમવારે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે...

ડિસેમ્બર 24, 2024 9:45 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:45 એ એમ (AM)

views 5

આજે ગાંધીનગરમાં આધુનિક સુવિધાઓથી સજજ નવી દસ વોલ્વો બસોનું લોકાર્પણ કરાશે

આજે ગાંધીનગરમાં આધુનિક સુવિધાઓથી સજજ નવી દસ વોલ્વો બસોનું લોકાર્પણ કરાશે. આરામદાયક અને સલામત મુસાફરીની નેમ સાથે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ગાંધીનગર ડેપ ખાતે યોજાનારા આ સમારંભમાં ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલ તેમજ અલ્પેશ ઠાકોર પણ ઉપસ્થિત રહેશે.

ડિસેમ્બર 24, 2024 9:44 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:44 એ એમ (AM)

views 8

રાજ્ય સરકારે ગઈ કાલે PMJAY યોજના હેઠળ પેનલમાં સમાવિષ્ટ હોસ્પિટલો માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી

રાજ્ય સરકારે ગઈ કાલે PMJAY યોજના હેઠળ પેનલમાં સમાવિષ્ટ હોસ્પિટલો માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્યનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને નિયોનેટલ જેવી મહત્વની સારવાર માટેનાં નિયમો સુધારવામાં આવ્યા છે, જેથી ગેરરિતી અટકી શકે. આ યોજના ...