જાન્યુઆરી 30, 2025 9:14 એ એમ (AM)

views 10

આજે શહીદ દિન નિમિત્તે દેશભરમાં સવારે ૧૧ કલાકના ટકોરે બે મિનીટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહૂતિ આપનાર વીરોનું ઋણ અદા કરાશે

આજે શહીદ દિન નિમિત્તે દેશભરમાં સવારે ૧૧ કલાકના ટકોરે બે મિનીટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહૂતિ આપનાર વીરોનું ઋણ અદા કરાશે. સમગ્ર દેશમાં સવારે 11 વાગે કામકાજ અને વાહન વ્યવહારની ગતિને બે મિનીટ માટે સ્થગિત કરી મૌન પાળવા અપીલ કેન્દ્રિય ગૃહ મંત્રાલયે કરી છે. જે સ્થળે સાયરન કે સેનાની તોપની વ્યવસ્થા હોય, ત્...

જાન્યુઆરી 30, 2025 9:08 એ એમ (AM)

views 13

હવામાન વિભાગે આગામી બીજી અને ત્રીજી ફેબ્રુઆરીએ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી બીજી અને ત્રીજી ફેબ્રુઆરીએ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અમરેલી પંથકમાં શિળાયું પાક તરીકે ઘઉં અને ચણાનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. આકરી ઠંડી રવિ પાક માટે ખુબ સાનુકુળ હોય છે. પરંતુ માવઠાની આગાહીના પગલે કેરીનો પાક લેનાર ખેડૂતોને ચિંતા વધી છે.

જાન્યુઆરી 30, 2025 9:07 એ એમ (AM)

views 9

રાજ્યભરમાં આજથી 13મી ફેબ્રુઆરી સુધી ચાલનારા ‘સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન’ દરમિયાન નાગરિકોમાં રક્તપિત્ત અંગે જાગૃતિ લાવવા માટે કામગીરી કરાશે

રાજ્યભરમાં આજથી 13મી ફેબ્રુઆરી સુધી ચાલનારા ‘સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન’ દરમિયાન નાગરિકોમાં રક્તપિત્ત અંગે જાગૃતિ લાવવા માટે કામગીરી કરાશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત જાગૃતિ અભિયાન, આંતરિયાળ વિસ્તારમાં તપાસ અભિયાન, દર મહિને ત્રીજા શુક્રવારે સરવે જેવી વિશેષ ઝૂંબેશ હાથ ધરીને સઘન કામગીરી...

જાન્યુઆરી 30, 2025 8:51 એ એમ (AM)

views 8

કરૂણા અભિયાન અંતર્ગત આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન કુલ ૧૭ હજારથી વધુ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપીને ૧૫,૫૭૨ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું

ઉત્તરાયણ પર્વ દરમિયાન રાજ્ય સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી “કરૂણા અભિયાન” અંતર્ગત હજારો પક્ષીઓને તાત્કાલિક સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા છે. કરૂણા અભિયાન અંતર્ગત આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન કુલ ૧૭ હજારથી વધુ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપીને ૧૫,૫૭૨ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું છે. આમ, ઇ...

જાન્યુઆરી 30, 2025 8:43 એ એમ (AM)

views 10

રાજ્યની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરનાર એક હજાર 157 આરોપીઓને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

રાજ્યની પોલીસ રાજ્યમાં શાંતિને ડહોળવાનો પ્રયાસ કરતા અને નિર્દોષ નાગરિકોને હેરાન કરતા અસામાજિક તત્વો સામે કડક પગલાં લઈ રહી છે. રાજ્યની પોલીસે ત્રણ વર્ષમાં પાસા હેઠળ એક હજાર 157 આરોપીઓને કાયદાના પાઠ ભણાવાયા છે. રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા રાજ્ય પોલીસ દ્વારા મહત્વની કાર્યવાહી થઈ રહી છ...

જાન્યુઆરી 30, 2025 8:37 એ એમ (AM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ ક્રિસ જેન્કીન્સે ગાંધીનગરમાં મુલાકાત દરમિયાન રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં યોજાનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટસ ઇવેન્ટ અંગે ચર્ચા થઇ હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ ક્રિસ જેન્કીન્સે ગાંધીનગરમાં મુલાકાત દરમિયાન રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં યોજાનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટસ ઇવેન્ટ અંગે ચર્ચા થઇ હતી. રાજ્યમાં ખેલ મહાકુંભ તથા ખેલો ઇન્ડિયા જેવા આયોજન સફળતાપૂર્વક પાર પડ્યા છે તે અંગે પણ...

જાન્યુઆરી 30, 2025 8:28 એ એમ (AM)

views 6

રાજ્ય સરકાર, ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરશે

રાજ્ય સરકાર, ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરશે. તુવેરની ખરીદી માટે રાજ્યભરમાં 206 ખરીદ કેન્દ્ર સૂચિત કરાયા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ખેડૂતો આગામી ત્રણથી 20 ફેબ...

જાન્યુઆરી 30, 2025 8:25 એ એમ (AM)

views 6

મહાકુંભમાં ભાગદોડમાં મોતને ભેટેલા લોકોને રામકથાકાર મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પી છે

મહાકુંભમાં ભાગદોડમાં મોતને ભેટેલા લોકોને રામકથાકાર મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પી છે. રામકથાકાર મોરારીબાપુએ આ ઘટનામાં મૃત્યુ પામનારાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજારની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે.

જાન્યુઆરી 30, 2025 8:24 એ એમ (AM)

views 5

પ્રયાગરાજના ત્રિવેણી સંગમની ભાગદોડમાં રાજ્યના એક શ્રદ્ધાળુના મોત બાદ અરવલ્લી સહિતના રાજ્યના અન્ય વિસ્તારોમાંથી શ્રધ્ધ્ધાળુઓ મહાકુંભમાં સહી સલામત

પ્રયાગરાજના મહાકુંભમેળામાં મૌની અમાસને દિવસે કુંભમાં વધુ પડતી ભીડ કારણે થયેલ દૂર્ઘટનામાં 30 લોકોના મોત નિપજ્યા અને અનેક લોકોને ઈજા પહોંચી હતી. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, મહાકુંભમાં ભાગદોડની ઘટના બાદ, અરવલ્લીના તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ મોડાસાથી પ્રયાગરાજ...

જાન્યુઆરી 29, 2025 7:33 પી એમ(PM)

views 21

પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ધક્કામુક્કીમાં એક ગુજરાતી સહિત 30 શ્રધ્ધાળુનાં મૃત્યુ અને 60ને ઇજા

ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ગઈ કાલે રાત્રે થયેલી ધક્કામુક્કીમાં એક ગુજરાતી સહિત 30 શ્રધ્ધાળુનાં મૃત્યુ અને 60ને ઇજા થઈ છે. મૃતકોમાંથી 25 લોકોની ઓળખ થઈ ચૂકી છે. મૃતકોમાં કર્ણાટકના 4 શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. મહાકુંભનાં મેળા અધિકારી ડીઆઇજી વૈભવ ક્રિશ્નાએ આજે સાંજે પત્રકાર પરિ...