ફેબ્રુવારી 1, 2025 7:36 પી એમ(PM)

views 9

ગુજરાત વેપારી મહામંડળ-GCCIએ અંદાજપત્રને આવકાર્યું

ગુજરાત વેપારી મહામંડળ-GCCIએ અંદાજપત્રને આવકાર્યું છે. સંસ્થાના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે, આ બજેટ ભારતના આર્થિક ભવિષ્ય માટેનો સ્પષ્ટ માર્ગ દર્શાવે છે. જ્યારે GCCIના વરિષ્ઠ ઉપ-પ્રમુખ રાજેશ ગાંધીએ જણાવ્યું કે, સરકારે નિકાસને પ્રોત્સાહિત કરવા નોંધપાત્ર પગલા લીધા છે. ઉપ-પ્રમુખ અપૂર્વ શાહે શટલ વ...

ફેબ્રુવારી 1, 2025 7:35 પી એમ(PM)

views 6

જાન્યુઆરી મહિનામાં રાજ્યની વસ્તુ અને સેવા કર-જીએસટીની આવકમાં 17 ટકાનો વધારો નોંધાયો છે

જાન્યુઆરી મહિનામાં રાજ્યની વસ્તુ અને સેવા કર-જીએસટીની આવકમાં 17 ટકાનો વધારો નોંધાયો છે. ગત મહિને રાજ્યને જીએસટીની 6 હજાર 873 કરોડ રૂપિયાની આવક થઈ છે. જ્યારે વેટ એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ હેઠળ 2 હજાર 856 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 998 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 21 કરોડની આવક નોંધાઈ છે. નાણાકીય વર્ષ 202...

ફેબ્રુવારી 1, 2025 7:33 પી એમ(PM)

views 13

ત્રીજા તબક્કાની ગુજરાત સ્ટેમ ક્વિઝ સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાઇ હતી

ત્રીજા તબક્કાની ગુજરાત સ્ટેમ ક્વિઝ સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાઇ હતી.વિદ્યાર્થીઓમાં શીખવા અને નવીનતા પ્રત્યેનો જુસ્સો કેળવવાના ઉદ્દેશ્યથી વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ એટલે કે STEM પ્રશ્નોત્તરી સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લ...

ફેબ્રુવારી 1, 2025 7:32 પી એમ(PM)

views 9

કેન્દ્રીય અંદાજપત્રમાં પ્રથમ એન્જીન તરીકે કૃષિક્ષેત્રને પ્રાધાન્ય આપવા બદલ કૃષિમંત્રી રાઘવજી પટેલે આભાર વ્યક્ત કર્યો હતો

કેન્દ્રીય અંદાજપત્રમાં પ્રથમ એન્જીન તરીકે કૃષિક્ષેત્રને પ્રાધાન્ય આપવા બદલ કૃષિમંત્રી રાઘવજી પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી ધાન-ધન્ય કૃષિ યોજના, કપાસ અને કઠોળની ઉત્પાદકતા વધારવાના નવા પ્રયાસ રાજ્યના ખેડૂતો માટે લાભદાયી નીવડશે તેમ જણાવ્યું હતું. શ્રી પટેલે ઉમેર્યું, નવા ત્રણ મિશન અમલ...

ફેબ્રુવારી 1, 2025 7:30 પી એમ(PM)

views 12

રાજ્યના આદિજાતિ વિસ્તારના મધમાખી પાલકોને વિનામૂલ્યે મધમાખીની બે હાઈવ્સ અને કૉલોની અપાશે

રાજ્યના આદિજાતિ વિસ્તારના મધમાખી પાલકોને વિનામૂલ્યે મધમાખીની બે હાઈવ્સ અને કૉલોની અપાશે. સહાયલક્ષી યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાના 53 આદિજાતિ તાલુકાના મધમાખીપાલકો, સ્વસહાય સમૂહ, સખીમંડળ, ખેડૂત ઉત્પાદક સંગઠન- FPO અને ખેડૂત ઉત્પાદક કંપની-FPCના આદિજાતિ સભાસદને વિનામૂલ્યે આ સુવિધા અપાશે તેમ ...

ફેબ્રુવારી 1, 2025 7:28 પી એમ(PM)

views 14

બાગાયતી પાકની વિદેશમાં નિકાસ કરવા માગતા ખેડૂતો કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ એટલે કે, APEDAની વેબસાઈટ પર નોંધણી કરાવવી જરૂરી છે

બાગાયતી પાકની વિદેશમાં નિકાસ કરવા માગતા ખેડૂતો કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ એટલે કે, APEDAની વેબસાઈટ પર નોંધણી કરાવવી જરૂરી છે. ખેડૂતોએ નોંધણી કર્યા બાદ અરજીની નકલ અને દસ્તાવેજ નાયબ બાગાયત નિયામકની કચેરી, વડોદરા ખાતે રૂબરૂ અથવા ટપાલથી રજૂ કરવા કચેરીની યાદીમાં જણાવાયું...

ફેબ્રુવારી 1, 2025 7:29 પી એમ(PM)

views 414

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજીની જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજીની જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, ધારાસભ્ય, વિધાનસભાના અધિકારી તેમજ કર્મચારીઓ અને શાળાના બાળકોએ શ્રી તૈયબજીને પુષ્પ અર્પણ કર્યા હતા....

ફેબ્રુવારી 1, 2025 7:25 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરાનાં નવલખી મેદાન ખાતેથી મેરેથૉન દોડને પ્રસ્થાન કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરાનાં નવલખી મેદાન ખાતેથી મેરેથૉન દોડને પ્રસ્થાન કરાવશે. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ જોડાશે. ઉપરાંત મુખ્યમંત્રી વાઘોડિયા રોડ ઉપર નવનિર્મિત બરોડા પબ્લિક સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે, પાંચ કિલોમીટરની મેરેથૉન દોડની 12મી આવૃત્તિ માટે અત્યા...

ફેબ્રુવારી 1, 2025 7:23 પી એમ(PM)

views 16

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 35 ઉમેદવારીપત્ર ભરાયાં છે. ભાજપના 17 અને કોંગ્રેસના 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ધણપ અને ઉવારસદ-એક બેઠક પરથી અપક્ષ ઉમેદવારોએ પણ પત્ર ભર્યું છે. અત્યાર સુધી 225 ઉમેદવારીપત્રનું વિતરણ કરા...

ફેબ્રુવારી 1, 2025 7:20 પી એમ(PM)

views 10

પશ્ચિમ રેલવેએ 5 ફેબ્રુઆરીએ હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કર્યા

પશ્ચિમ રેલવેએ 5 ફેબ્રુઆરીએ હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કર્યા છે. આ ટ્રેન ભાવનગર મથકે તેના નિર્ધારિત સમયથી 25 મિનિટ પહેલા બપોરે 12 વાગ્યે પહોંચશે. ઉપરાંત માર્ગમાં આવતા મથક પર પણ આ ટ્રેન વહેલી પહોંચશે, જેનાથી સમય બચશે.