જાન્યુઆરી 22, 2026 2:56 પી એમ(PM)

views 44

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, યુપી વોરિયર્ઝ મહિલા ટીમ આજે વડોદરાના બી. સી. એ સ્ટેડિયમ ખાતે લીગ મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે.

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, યુપી વોરિયર્ઝ મહિલા ટીમ આજે વડોદરાના બી. સી. એ સ્ટેડિયમ ખાતે લીગ મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે રમાશે. WPL 2026 બે શહેરોના ફોર્મેટમાં યોજાઈ રહી છે. ટુર્નામેન્ટનો નવી મુંબઈ તબક્કો પૂર્ણ કર્યા પછી, પાંચેય ટીમો સ્પર્ધાના બીજા ભાગ માટે ગુજરાત સ...

જાન્યુઆરી 22, 2026 9:28 એ એમ (AM)

views 12

અંબાજી ખાતેથી આદિજાતિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો પ્રારંભ

અંબાજી ખાતેથી આદિજાતિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો રાજ્યમંત્રી જયરામ ગામીતે પ્રારંભ કરાવ્યો હતો. સતત બીજા વર્ષે અંબાજીમાં રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધા યોજાઇ છે.આ સ્પર્ધામાં 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશની 500થી વધુ મહિલા તિરંદાજોએ ભાગ લીધો હોવાનું જયરામ ગામીતે જણાવ્યું હતું.

જાન્યુઆરી 22, 2026 9:26 એ એમ (AM)

views 16

આજે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અન્વયે મુખ્યમંત્રી નાગરિકોની ફરિયાદોનુ નિવારણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય ‘સ્વાગત’માં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે. સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આજે સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકાશે.

જાન્યુઆરી 22, 2026 9:25 એ એમ (AM)

views 16

કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા બનાસકાંઠાના જેસોર અભયારણ્યને રીંછના સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવરી લેવાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગઇકાલે ગાંધીનગર ખાતે સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26મી બેઠક યોજાઈ. બેઠકમાં કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રાલય દ્વારા જેસોર અભયારણ્યને રીંછના સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આવરી લેવાયું હોવાની જાહેરાત કરવામાં આવી હતી.બેઠકમાં શ્રી પટેલે રાજ્યના સંરક્ષિત વન વિસ્તાર...

જાન્યુઆરી 22, 2026 9:24 એ એમ (AM)

views 12

રાજ્ય સરકારે 12 હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરી

રાજ્ય સરકારે 12 હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરી છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ટેકાના ભાવે ખરીદી માટે 10 લાખ 11 હજારથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી 6 ફેબ્રુઆરી સુધી ચાલશે.

જાન્યુઆરી 22, 2026 9:22 એ એમ (AM)

views 22

ગુજરાત રાજ્ય GST વિભાગ દ્વારા અમદાવાદ સ્થિત ફાર્મા ગ્રૂપ દ્વારા કરાયેલી GST ચોરીનો પર્દાફાશ

ગુજરાત રાજ્ય જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ ગ્રૂપ દ્વારા કરાયેલી કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનો પર્દાફાશ કરાયો છે. આ ફાર્માસ્યુટિકલ ગ્રૂપ દ્વારા 114 કરોડથી વધુના કરપાત્ર વ્યવહારો અને 20 કરોડથી વધુના ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી કરચોરી કરાઈ હોવાનું સામે આવ્યું છે.જીએસટી વિભાગ દ્વારા અમદાવ...

જાન્યુઆરી 22, 2026 9:21 એ એમ (AM)

views 9

સુરત જિલ્લાના માંડવીના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાઇ થવા મામલે 3 અધિકારીઓને ફરજ મોકૂફ કરાયા

સુરત જિલ્લાના માંડવીના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાઇ થવા મામલે 3 અધિકારીઓને ફરજમોકૂફ કરાયા છે. પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું, અધિકારીઓ અને એજન્સી પર પોલીસ ફરિયાદ પણ કરાશે

જાન્યુઆરી 22, 2026 9:19 એ એમ (AM)

views 15

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓના સઘન સુધારણા જુંબેશ (SIR) પર સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવા માટેનો નિર્દેશો

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓના સઘન સુધારણા જુંબેશ (SIR) પર સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવા માટે નિર્દેશો જારી કર્યા છે.આ સુધારણા ઝુંબેશ રાજ્યના મતદારોને દસ્તાવેજો સબમિટ કરવાની અને ચોક્કસ સમયમર્યાદામાં સુનાવણી કરવાની તકો પૂરી પાડે છે.પંચે પશ્ચિમ બંગાળના અધિકારીઓને ચાલુ SIR 2026 સંબંધિત સુપ...

જાન્યુઆરી 22, 2026 9:19 એ એમ (AM)

views 8

તેલંગાણા પોલીસે દેશભરમાં માઓવાદીના નેતાઓને બાકીના માઓવાદીઓને આત્મસમર્પણ કરવા કરી અપીલ

તેલંગાણા પોલીસે દેશભરમાં સી. પી. આઈ (માઓવાદી)ના નેતાઓને બાકીના માઓવાદીઓને આત્મસમર્પણ કરવા અપીલ કરી છે. તેલંગાણાના કુલ 17 માઓવાદીઓ સંઘટનો રાજ્યોમાં સક્રિય છે. 'હવે સંઘર્ષ નહીં - તમારા ગામને પ્રેમ કરો' ના નારા સાથે, તેલંગાણા પોલીસે તેમને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા અપીલ કરી છે. તેલંગાણા પોલીસ આ માઓવાદીઓ...

જાન્યુઆરી 22, 2026 9:16 એ એમ (AM)

views 6

2030-31 સુધી અટલ પેન્શન યોજના યથાવત રાખવાની સરકારની મંજૂરી

સરકારે 2030-31 સુધી અટલ પેન્શન યોજના યથાવત રાખવાની મંજૂરી આપી છે. ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પગલાથી આશરે 25 લાખ 74 હજાર નવા MSME લાભાર્થીઓને લાભ થવાની અપેક્ષા છે.