ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 18, 2024 2:06 પી એમ(PM)

printer

26 નવેમ્બર 2008ના મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી ભારતમાં પરત મોકલવામાં આવી શકે

26 નવેમ્બર 2008ના મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી ભારતમાં પરત મોકલવામાં આવી શકે છે. અમેરિકાની કેલિફોર્નિયા અદાલતે ચુકાદામાં કહ્યું કે, ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ તહવ્વુર હુસૈન રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈ હુમલામાં 160 લોકોના મોત નિપજ્યા હતા. આ ચુકાદો 63 વર્ષીય તહવ્વુર હુસૈન રાણાએ ભારત પ્રત્યાર્પણની શક્યતા સામે કરેલી અપીલ પર આપવામાં આવ્યો હતો. તહવ્વુર હુસૈન રાણા 26/11ના હુમલાના આરોપમાં લોસ એન્જલસની જેલમાં છે. રાણા પાકિસ્તાની મૂળનો અમેરિકન નાગરિક અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે સંકળાયેલો છે. જ્યારે કોલમેન આ હુમલાના મુખ્ય આરોપીઓમાંનો એક છે. રાણા પર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે સંબંધ હોવાનો પણ આરોપ છે.