ડિસેમ્બર 7, 2025 7:46 એ એમ (AM)

views 15

ગોવાના અર્પોરામાં એક નાઈટક્લબમાં ગઈકાલે મોડી રાત્રે આગ સિલિન્ડર વિસ્ફોટને કારણે લાગેલી આગમાં 23 લોકોના મોત – ઘણા ધાયલ

ગોવાના અર્પોરામાં એક નાઈટક્લબમાં ગઈકાલે મોડી રાત્રે લાગેલી આગમાં ત્રેવીસ લોકોના મોત થયા હતા. આગ સિલિન્ડર વિસ્ફોટને કારણે લાગી હતી.મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે મૃતકોમાં મોટાભાગના રસોડાના કર્મચારીઓ અને ત્રણ-ચાર પ્રવાસીઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે 23 લોકો...

ડિસેમ્બર 7, 2025 7:44 એ એમ (AM)

views 56

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં એક હજાર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક હજાર 500 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. જેમાં આવાસ, માળખાગત સુવિધાઓ અને જાહેર સુવિધાઓનો સમાવેશ થાય છે.દિવસભર ચાલનારા કાર્યક્રમો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર...

ડિસેમ્બર 7, 2025 7:39 એ એમ (AM)

views 36

ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચોની એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણી જીતી

ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણી 2-1થી જીતી લીધી છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને નવ વિકેટથી પરાજય આપ્યો હતો.ભારતીય ટીમે 39 ઓવર અને પાંચ બોલમાં એક વિકેટ ગુમાવીને 271 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. યશસ્વી જયસ્વાલે...

ડિસેમ્બર 6, 2025 8:18 પી એમ(PM)

views 13

વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી પુરુષોની એક દિવસીય ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને જીતવા માટે 271 રનનો લક્ષ્યાંક આપ્યો

વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી પુરુષોની એક દિવસીય ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને જીતવા માટે 271 રનનો લક્ષ્યાંક આપ્યો છે. લક્ષ્યનો પીછો કરતા, છેલ્લા મળતા અહેવાલો મુજબ ભારતે 34 ઓવરમાં એક વિકેટે 214 રન બનાવ્યા હતા, દક્ષિણ આફ્રિકાની ટીમ 47.5 ઓવરમાં 270 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા માટે ક્વિન...

ડિસેમ્બર 6, 2025 8:16 પી એમ(PM)

views 14

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને મુસાફરોને વિલંબ કર્યા વિના બાકી ભાડાની ચુકવણી કરવાનો નિર્દેશ આપ્યો.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને મુસાફરોને વિલંબ કર્યા વિના બાકી ભાડાની ચુકવણી ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે બધી રદ થયેલી અથવા વિક્ષેપિત ફ્લાઇટ્સ માટે ચુકવણી પ્રક્રિયા આવતીકાલે રાત્રે 8 વાગ્યા સુધીમાં પૂર્ણ થવી જોઈએ. એરલાઇન્સને એ પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે ફ્લાઇટ રદ થવાન...

ડિસેમ્બર 6, 2025 8:09 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત હાલમાં ઉચ્ચ વિકાસ અને નીચા ફુગાવા સાથે વિશ્વ માટે એક આદર્શ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું છે કે ભારત હાલમાં ઉચ્ચ વિકાસ અને નીચા ફુગાવા સાથે વિશ્વ માટે એક આદર્શ છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) દરમાં 8 ટકાનો વધારો દેશની વધતી પ્રગતિનું પ્રતિબિંબ છે...

ડિસેમ્બર 6, 2025 7:47 પી એમ(PM)

views 11

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને યુનિટી માર્ચના સમાપન સમારોહમાં 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા યુવાઓને સાથે મળીને કામ કરવા હાકલ કરી

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે યુવાનોને જાગૃત થવા અને 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા માટે સાથે મળીને કામ કરવા માટે જોરદાર હાકલ કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર@150 રાષ્ટ્રીય પદયાત્રાના સમાપન સમારોહને સંબોધતા, ઉપરાષ્ટ્રપતિએ યુવાનોને દેશની પ્રગતિનું એન્જિન ગણાવ્યું અને ભાર મ...

ડિસેમ્બર 6, 2025 7:47 પી એમ(PM)

views 20

રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી 47 વિધાનસભા બેઠકો પર મતદાર યાદીની ખાસ સઘન સુધારા ઝુંબેશ

રાજ્યભરની 182 વિધાનસભા બેઠકોમાંથી 47 વિધાનસભા બેઠકો પર મતદાર યાદીની ખાસ સઘન સુધારા –SIR ગણતરીની 100% કામગીરી સંપન્ન થઈ છે. રાજ્યભરમાં ગણતરીની 98.19% કામગીરી સંપન્ન થઈ ચૂકી છે.જ્યારે 80 બેઠકો પર 99%થી વધુ કામગીરી થઈ ચૂકી છે. ગણતરી દરમિયાન રાજ્યભરમાં 17.66 લાખથી વધુ અવસાન પામેલ મતદારો,જ્યારે 8.39 લાખથ...

ડિસેમ્બર 6, 2025 7:33 પી એમ(PM)

views 53

ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને મહાપરિનિર્વાણ દિવસ પર આજે રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે

ભારતરત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને તેમની 70મી પુણ્યતિથિ, મહાપરિનિર્વાણ દિવસ પર આજે રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અગ્રણી નેતાઓએ આજે નવી દિલ્હીમાં ડૉ. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી. રાજયભરમાં શ્રદ્...

ડિસેમ્બર 6, 2025 7:32 પી એમ(PM)

views 19

રાજ્યમાં હવા પ્રદૂષણનું ધ્યાન ન રાખતી 541 બાંધકામ સાઇટને દંડ કરીને 123 લાખથી વધુની વસૂલાત

રાજ્યમાં હવા પ્રદૂષણ ઘટાડવા શહેરી વિભાગે મહાનગરપાલિકાની બે હજાર 600 થી વધુ બાંધકામ સાઈટનું માત્ર ત્રણ જ દિવસમાં નિરીક્ષણ કર્યું. હવા પ્રદૂષણનું ધ્યાન ન રાખતી રાખતી 541 જેટલી બાંધકામ સાઇટને દંડ કરીને 123 લાખથી વધુની વસૂલાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગાંધીનગરમાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં...