ડિસેમ્બર 12, 2025 2:02 પી એમ(PM)

views 23

એશિયા કપ અંડર-19 T-20 ટુર્નામેન્ટમાં ભારત-સંયુક્ત આરબ અમીરાત વચ્ચેની મેચમાં ભારતે 20 ઓવરમાં 157 રન બનાવ્યા.

ક્રિકેટમાં, એશિયા કપ અંડર 19 ટુર્નામેન્ટમાં આજે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે દુબઈમાં મેચ ચાલી રહી છે આ મેચમાં ભારતે UAE સામે 20 ઓવરમાં 1 વિકેટે 157 રન બનાવ્યા છે. વૈભવ સૂર્યવંશી 99 અને એરોન જ્યોર્જ 48 રન બનાવીને રમતમાં હતા અગાઉ, સંયુક્ત આરબ અમીરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો...

ડિસેમ્બર 12, 2025 8:46 એ એમ (AM)

views 16

એશિયન ક્રિકેટ કાઉન્સિલ અંડર-૧૯ એશિયા કપનો આજથી દુબઈમાં આરંભ – રવિવારે ભારત, પાકિસ્તાન સામે રમશે

અંડર-૧૯ એશિયા કપ ૨૦૨૫ આજથી દુબઈમાં શરૂ થશે. આજે સવારે દુબઈના ICC એકેડેમી ગ્રાઉન્ડ પર આયુષ મ્હાત્રેના નેતૃત્વ હેઠળના ભારત અને યજમાન સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે ૧૦:૩૦ વાગ્યે શરૂ થશે. વૈભવ સૂર્યવંશી પણ ભારતીય ટીમનો ભાગ છે. ભારત રવિવારે તેના કટ્ટર હરીફ પાક...

ડિસેમ્બર 12, 2025 8:46 એ એમ (AM)

views 17

નેપાળ સરકારે, જનરેશન ઝીના 10-મુદ્દાના કરારને કાયદાકીય મંજૂરી આપી

નેપાળના કાઠમંડુમાં મંત્રી પરિષદની બેઠકમાં નેપાળ સરકારે, જનરેશન ઝી ના 10-મુદ્દાના કરારને મંજૂરી આપી છે. આ તમામ મુદ્દાઓને કાયદાકીય રીતે અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કરાર પર 10 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી કાર્યાલય, સિંહા દરબાર ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેનરેશન ઝી ચળવળ દરમિયાન શહીદ ...

ડિસેમ્બર 12, 2025 8:46 એ એમ (AM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ ડિસેમ્બરથી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની ચાર દિવસીય મુલાકાતે રવાના થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15મી ડિસેમ્બરથી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની ચાર દિવસની મુલાકાતે જશે. તેમની મુલાકાતના પહેલા તબક્કામાં, પ્રધાનમંત્રી જોર્ડનના રાજા અબ્દુલ્લાહ બીજા બિન અલ હુસૈનના આમંત્રણ પર જોર્ડન જશે.

ડિસેમ્બર 12, 2025 8:46 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી મોદીએ યુએસ રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેમણે શ્રી ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને અમેરિકા વૈશ્વિ...

ડિસેમ્બર 12, 2025 8:45 એ એમ (AM)

views 18

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મણિપુરના ઇમ્ફાલમાં એક હજાર ૩૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મણિપુરના સેનાપતિ જિલ્લામાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન શિલાન્યાસ કરશે - એક જાહેર સભાને સંબોધિત કરશે રાષ્ટ્રપતિ ઇમ્ફાલમાં નુ. પી. લાલ મેમોરિયલ કોમ્પ્લેક્સની મુલાકાત લેશે.રાજ્યની બહાદુર મહિલાઓને શ્રદ્ધાંજલિ પણ આપશે. શ્રી મુર્મુએ ગઈકાલે ઇમ્ફાલમાં એક હજાર 387 કરોડના ...

ડિસેમ્બર 11, 2025 7:41 પી એમ(PM)

views 10

ગુજરાત સહિત છ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની મુદત લંબાવાઇ -રાજ્યમાં હવે 14 ડિસેમ્બર સુધી ગણતરી પત્રકો જમા કરાવી શકાશે

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIR માટેના સમયપત્રકમાં સુધારો કર્યો છે. તેમાં ગુજરાત ઉપરાંત, તમિલનાડુ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. સુધારેલા સમયપત્રક મુજબ, ગુજરાત અને તમિલનાડુમા...

ડિસેમ્બર 11, 2025 7:40 પી એમ(PM)

views 10

ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના શાસન દરમિયાન ચૂંટણી સુધારાઓ પર ક્યારેય ધ્યાન આપવામાં આવ્યું નથી.

રાજ્યસભાએ આજે ચૂંટણી સુધારા પર ચર્ચા શરૂ કરી. ચર્ચામાં ભાગ લેતા, ભારતીય જનતા પાર્ટીના નેતા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું કે ભારત લોકશાહીની જનની છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના શાસન દરમિયાન ચૂંટણી સુધારાઓ પર ક્યારેય ધ્યાન આપવામાં આવ્યું ન હતું. કોંગ્રેસ સમજી શકતી નથી કે વિશ્વાસ અને સંબંધોના આધારે મ...

ડિસેમ્બર 11, 2025 7:38 પી એમ(PM)

views 8

ઇન્ડિગો 3 થી 5 ડિસેમ્બરે ફ્લાઇટ કામગીરીમાં વિક્ષેપથી પ્રભાવિત મુસાફરોને 10 હજાર રૂપિયાનું વળતર આપશે.

ઇન્ડિગો એરલાઇન્સે 3, 4 અને 5 ડિસેમ્બરે ફ્લાઇટ કામગીરીમાં વિક્ષેપથી પ્રભાવિત મુસાફરોને 10 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. ઇન્ડિગોએ જણાવ્યું હતું કે આ વળતર ટ્રાવેલ વાઉચરના રૂપમાં આપવામાં આવશે જેનો ઉપયોગ આગામી 12 મહિનાની અંદર ઇન્ડિગોની કોઈપણ મુસાફરી માટે થઈ શકે છે. સરકારી માર્ગદર્શિકા હેઠળ ફ...

ડિસેમ્બર 11, 2025 7:37 પી એમ(PM)

views 7

સરકારે કહ્યું કે રેલવે ટિકિટ રિઝર્વેશન માટે ઉપયોગમાં લેવાતા 3 કરોડથી વધુ શંકાસ્પદ યુઝર આઈડી એકાઉન્ટ્સ બ્લોક કરાયા

સરકારે જણાવ્યું છે કે આ વર્ષે જાન્યુઆરીમાં રેલવે ટિકિટ રિઝર્વેશન માટે ઉપયોગમાં લેવાતા 3 કરોડથી વધુ શંકાસ્પદ યુઝર આઈડી એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા હતા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે રેલવેની ટિકિટ બુકિંગ રિઝર્વેશન સિસ્ટમ એક સુરક્ષિત માહિતી ટેકન...