ડિસેમ્બર 21, 2025 3:26 પી એમ(PM)

views 9

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવ, દાદરા અને નગરહવેલીમાં રાષ્ટ્રીય રોગપ્રતિરક્ષા દિવસ અંતર્ગત પલ્સ પૉલિયો રવિવારનું આયોજન કરાયું.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવ, દાદરા અને નગરહવેલીમાં રાષ્ટ્રીય રોગપ્રતિરક્ષા દિવસ અંતર્ગત પલ્સ પૉલિયો રવિવારનું આયોજન કરાયું. દરમિયાન દમણની કચ્છીગ્રામ સરકારી હૉસ્પિટલમાં પાંચ વર્ષ સુધીની બાળકોને પૉલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા. અભિયાનને સફળ બનાવવા 300 ટુકડી અને અંદાજે એક હજાર 300 આરોગ્યકર્મીઓ સતત ત્ર...

ડિસેમ્બર 21, 2025 3:25 પી એમ(PM)

views 4

રાજ્ય સરકાર દ્વારા અરવલ્લી જિલ્લા માટે ઘરેઘરે જઈ કચરો એકત્રિત કરવા પાંચ વાહન ફાળવાયા

રાજ્ય સરકાર દ્વારા અરવલ્લી જિલ્લા માટે ઘરેઘરે જઈ કચરો એકત્રિત કરવા પાંચ વાહન ફાળવાયા છે. હાલ મોડાસા ડમ્પિંગ સાઈટથી આ તમામ વાહન અને એક યંત્રને કાર્યરત્ કરાયું છે. આગામી દિવસોમાં અન્ય પાંચ વાહન પણ ફાળવાશે તેમ મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે જણાવ્યું.

ડિસેમ્બર 21, 2025 3:24 પી એમ(PM)

views 13

ભાવનગરમાં નાના પાણીયાળી ગામનાં “નમો ડ્રોન દીદી યોજના”થી મીરાંબેન રાઠોડ આત્મનિર્ભર બન્યાં

ભાવનગરમાં નાના પાણીયાળી ગામનાં “નમો ડ્રોન દીદી યોજના”થી મીરાંબેન રાઠોડ આત્મનિર્ભર બન્યાં છે. પાલિતાણા તાલુકામાં આવેલા ગામનાં વતની સુશ્રી રાઠોડે કહ્યું, તેઓ હાલ ખેતરમાં ડ્રૉનથી દવાનો છંટકાવ કરીને દર વર્ષે દોઢથી બે લાખ રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. આ યોજના મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સાથે વિકસિત ભારત...

ડિસેમ્બર 21, 2025 3:23 પી એમ(PM)

views 22

રાજ્ય પરીક્ષા બૉર્ડ દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી – T.E.T. – 1 પરીક્ષા લેવાઈ.

રાજ્ય પરીક્ષા બૉર્ડ દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી – T.E.T. – 1 પરીક્ષા લેવાઈ. ધોરણ એકથી પાંચ માટે પ્રાથમિક શિક્ષક અને વિદ્યાસહાયક પદ માટેની આ પરીક્ષા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં યોજાઈ. બપોરે 12થી 2 વાગ્યા સુધી રાજ્યના 511 કેન્દ્ર પર એક લાખ એક હજાર 518 જેટલા ઉમેદવારે આ પરીક્ષા આપી હતી.

ડિસેમ્બર 21, 2025 3:22 પી એમ(PM)

views 4

સાબરકાંઠાના કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં પ્રાંતિજના ઉંછા ખાતે રાત્રિ ગ્રામસભા યોજાઈ.

સાબરકાંઠાના કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં પ્રાંતિજના ઉંછા ખાતે રાત્રિ ગ્રામસભા યોજાઈ. તેમાં ગ્રામજનોએ ગામના માર્ગ, ગટર લાઈન, પાણીના નિકાલ વગેરે પ્રશ્ન રજૂ કર્યા હતા. આ પ્રસંગે કલેક્ટરે પ્રશ્નોનો નિકાલ કરવા ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

ડિસેમ્બર 21, 2025 2:33 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના દિબ્રુગઢ જિલ્લાના નામરૂપ ખાતે ખાતર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના દિબ્રુગઢ જિલ્લાના નામરૂપ ખાતે ખાતર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ખાતર ઉત્પાદનને મજબૂત બનાવવા અને પ્રદેશમાં કૃષિ વિકાસને ટેકો આપવાનો છે. તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૧૨.૭ લાખ મેટ્રિક ટન હશે. આસામની ખાતરની જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત, આ પ્લાન્ટ પ...

ડિસેમ્બર 21, 2025 2:30 પી એમ(PM)

views 25

ભારત અને નેધરલેન્ડ્સે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પર સહયોગ માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારત અને નેધરલેન્ડ્સે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પર સહયોગ માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. સર્બાનંદ સોનોવાલે જણાવ્યું, "આ કરારનો ઉદ્દેશ્ય દરિયાઈ વારસો, સંગ્રહાલય ડિઝાઇન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને ડચ વિદે...

ડિસેમ્બર 21, 2025 2:31 પી એમ(PM)

views 3

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાની સેવાઓ ઉપર અસર – મુસાફરોને એરપોર્ટ પરથી સમયપત્રકની માહિતી મેળવીને મુસાફરી કરવા અપીલ

ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ધુમ્મસની સ્થિતિ દૃશ્યતાને અસર કરી રહી છે અને પસંદગીના એરપોર્ટ પર ઉડ્ડયનો ઉપર અસર થઇ શકે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મુસાફરોને સમયપત્રકની છેલ્લી ઘડીની માહિતી તપાસીને મુસાફરી કરવા અપીલ કરી છે. મુસાફરોની સહાય માટે એરપોર્ટ પર મુસાફરો સહાય ટીમો તૈનાત કરવામાં આવી છે જેથી મુ...

ડિસેમ્બર 21, 2025 2:18 પી એમ(PM)

views 18

દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં આજે સશસ્ત્ર હુમલાખોરોએ કરેલા ગોળીબારમાં નવ લોકોના મોત અને અન્ય લોકો ઇજાગ્રસ્ત

દક્ષિણ આફ્રિકામાં, આજે સશસ્ત્ર હુમલાખોરોએ કરેલા ગોળીબારમાં નવ લોકોના મોત અને અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ નજીક વેસ્ટ રેન્ડ વિસ્તારમાં બની હતી. પોલીસે જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

ડિસેમ્બર 21, 2025 2:17 પી એમ(PM)

views 20

અન્ડર-19 ક્રિકેટ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ

દુબઈમાં, અંડર – 19 ઍશિયા કપની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાઈ રહી છે. ભારતીય ટીમે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે. હાલમાં મળતાં અહેવાલ મુજબ, પાકિસ્તાને 39 ઑવરમાં 3 વિકેટ ગુમાવી 267 રન કર્યા છે. અગાઉ સૅમિ-ફાઈનલમાં ભારતે શ્રીલંકા અને પાકિસ્તાને બાંગ્લાદેશની ટીમને હરાવી હતી. ઉલ્લેખનીય છે કે, ભ...