ડિસેમ્બર 26, 2025 7:55 પી એમ(PM)

views 7

મુખ્ય સચિવોની પાંચમી રાષ્ટ્રીય પરિષદ આજથી નવી દિલ્હીમાં શરૂ

મુખ્ય સચિવોની પાંચમી રાષ્ટ્રીય પરિષદ આજે નવી દિલ્હીમાં શરૂ થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અને રવિવારે આ પરિષદની અધ્યક્ષતા કરશે. આ ત્રણ દિવસીય પરિષદનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ પર વ્યવસ્થિત અને સતત સંવાદ દ્વારા કેન્દ્ર-રાજ્ય ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. પ્રધાનમંત્રીના સહકારી સંઘવાદના દ...

ડિસેમ્બર 26, 2025 7:18 પી એમ(PM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-2025નો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-2025નો આજે પ્રારંભ કરાવ્યો. કાર્યક્રમ દરમિયાન તેમણે સુરત જિલ્લામાં 858 કરોડના વિવિધ વિકાસકામોના વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. આ પ્રસંગે તેમણે જણાવ્યું, આ મેળો વિકસિત ભારતના નિર્માણમાં આદિવાસી ...

ડિસેમ્બર 26, 2025 7:17 પી એમ(PM)

views 5

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, 2026ના અંત સુધીમાં ભારત 100 કરોડ લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડતો દેશ બનશે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું 2026ના અંત સુધીમાં ભારત 100 કરોડ લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડતો દેશ બનશે. આજે અમદાવાદના વટવામાં કર્મચારી ભવિષ્ય નિધિ ભવનનું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું, દેશમાં હાલ 94 કરોડ લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.

ડિસેમ્બર 26, 2025 7:16 પી એમ(PM)

views 7

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષબ્રિજની બંને બાજુ 2 નવી લેન બનશે

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજને નવું સ્વરૂપ મળશે. બ્રિજની બંને બાજુ 2 નવા લેન બનશે. થોડા દિવસ અગાઉ બ્રિજમાં પડેલી તિરાડને પગલે બ્રિજ અવરજવર માટે બંધ કરાયો હતો. ત્યારબાદ નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના માળખાને દૂર કરી 250 કરોડ રૂપિયા ખર્ચે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો હોવાનું મ્યુનિ...

ડિસેમ્બર 26, 2025 7:15 પી એમ(PM)

views 6

રાજ્યની એક્સપ્રેસ એસ.ટી બસના મુસાફરોને પોતાની સીટ પર ખોરાક ઉપલબ્ધ થશે.

એસ.ટી નિગમ દ્વારા મુસાફરોને વિમાન અને રેલવેની જેમ હવે બસોમાં તેમની સીટ ઉપર ફૂડ આપવાનો ‘ON DEMAND PACKED FOOD- FOOD ON BUS’ નવીન પ્રોજેકટ શરૂ કરાશે. આ પ્રોજેકટ અંતર્ગત નિગમની એક્સપ્રેસ બસોમાં સંચાલિત રૂટમાં પેસેન્જરોને ચાલુ બસે પેકડ ફૂડ મળી શકશે. આ સેવાનો લાભ લેવા મુસાફરો, નિગમની Online Passenger Res...

ડિસેમ્બર 26, 2025 7:13 પી એમ(PM)

views 7

આજે ભૂકંપના દસ જેટલા આંચકાથી કચ્છ જિલ્લાની ધરા ધ્રુજી ઉઠી.

આજે ભૂકંપના દસ જેટલા આંચકાથી કચ્છ જિલ્લાની ધરા ધ્રુજી ઉઠી. વહેલી સવારે ભૂકંપના સતત આઠ આંચકા નોંધાયા. પરોઢિયે સાડા ચાર કલાકે 4.6 ની તીવ્રતા સાથે વાગડ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. જેને પગલે નિંદ્રાદિન લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર પશ્ચિમ ઉત્તર દિશામા...

ડિસેમ્બર 26, 2025 7:12 પી એમ(PM)

views 21

ક્રિકેટની વિજય હજારે ટ્રોફીમાં બંગાળ સામે બરોડાનો 4 વિકેટે વિજય

ક્રિકેટની વિજય હજારે ટ્રોફીમાં આજે બંગાળ સામે બરોડાનો 4 વિકેટે વિજય થયો. બંગાળ તરફથી મળેલા 206 રનના લક્ષ્યાંકને બરોડાએ 38.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવી હાંસલ કર્યો. જ્યારે બીજી તરફ ગુજરાત સામેની મેચમાં દિલ્હીનો 7 રનથી વિજય થયો છે. દિલ્હીએ આપેલ 255 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ગુજરાતની ટીમ 247 રનમાં ઓલઆઉટ થ...

ડિસેમ્બર 26, 2025 3:09 પી એમ(PM)

views 13

રાજયકક્ષાની છઠ્ઠી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી ૨ જાન્યુઆરી ૨૦૨૬નાં રોજ યોજાશે.

રાજયકક્ષાની છઠ્ઠી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી ૨ જાન્યુઆરી ૨૦૨૬નાં રોજ યોજાશે. રાજકોટ જીલ્લામાં આવેલ ઓસમ પર્વત, પાટણવાવ, ધોરાજી ખાતે યોજાનાર આ સ્પર્ધા 14 થી 18 વર્ષના ભાઈઓ તથા બહેનો માટે બે વિભાગમાં યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ 1લી જાન્યુઆરી ૨૦૨૬નાં રોજ બપોરના 3 થી 5 વાગ્યા સુધી જૈ...

ડિસેમ્બર 26, 2025 3:06 પી એમ(PM)

views 9

પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ મોરબીના વાંકાનેર ખાતે ત્રિદિવસીય ‘કામા અશ્વ શો’નો શુભારંભ કરાવ્યો.

પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ મોરબીના વાંકાનેર ખાતે ત્રિદિવસીય 'કામા અશ્વ શો'નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી વાઘાણીએ જણાવ્યું, "સરકાર અશ્વના સંવર્ધન અને જતન માટે નવું બ્રીડિંગ સેન્ટર બનાવશે; અશ્વોની સંખ્યામાં વધારવા લક્ષ્ય નિર્ધારિત કરી મિશન મોડ પર કામગીરી કરાશે. ઉલ્લેખનીય છે કે તત્કાલીન દેશના પર્ય...

ડિસેમ્બર 26, 2025 3:05 પી એમ(PM)

views 9

આજે વહેલી સવારે ભૂકંપના સતત આઠ કંપનોથી કચ્છના વાગડની ધરા ધ્રુજી ઉઠી.

આજે વહેલી સવારે ભૂકંપના સતત આઠ કંપનોથી કચ્છના વાગડની ધરા ધ્રુજી ઉઠી. પરોઢિયે સાડા ચાર કલાકે 4.6 ની તીવ્રતા સાથે વાગડ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. જેને પગલે નિંદ્રાદિન લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર પશ્ચિમ ઉત્તર દિશામાં નોંધાયું. આ જ દિશામાં ઉપરાછાપર...