જાન્યુઆરી 1, 2025 6:32 પી એમ(PM)

views 8

ડાંગના આહવા ખાતે કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ

ડાંગના આહવા ખાતે કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં માર્ગ સલામતિ અંગે શાળાઓમાં સેમિનાર યોજવા, CPR ની તાલીમ આપવી તેમજ વ્યાપક પ્રમાણમાં જિલ્લાના નાગરીકોને માર્ગ સલામતિ અંગે જાગૃતિ ફેલાય તે હેતુથી, સોશિયલ મિડિયા પર શોર્ટ ફિલ્મ અનેતેમજ પોસ્ટરો દ્વારા પ્રચ...

જાન્યુઆરી 1, 2025 6:30 પી એમ(PM)

views 14

નવા વર્ષની ઉજવણી દરમિયાન રાજ્યમાંથી કેટલાંક જિલ્લાઓમાં ગુના કરેલા લોકોને પોલીસે પકડીને કાર્યવાહી હાથ ધરી

નવા વર્ષની ઉજવણી દરમિયાન રાજ્યમાંથી કેટલાંક જિલ્લાઓમાં ગુના કરેલા લોકોને પોલીસે પકડીને કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અમદાવાદ શહેર પોલીસે ગઈરાત્રે પ્રોહિબિશનનાં 218 કેસ નોંધ્યાં છે. તો, ડિંક એન્ડ ડ઼્રાઈવનાં 223 કેસ પકડ્યાં છે. સિંધુ ભવન રોડ પરથી ડ્રગ્સ અંગે ઝડપાયેલા લોકોનો બોડકદેવ પોલીસ વિભાગમાં ગુનો ન...

જાન્યુઆરી 1, 2025 6:28 પી એમ(PM)

views 8

સમગ્ર રાજ્યમાં ૨૦૨૫માં વિવિધ સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો

સમગ્ર રાજ્યમાં ૨૦૨૫માં વિવિધ સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટીયરીંગ કમિટીની પ્રથમ બેઠકમાં સંવિધાનનો અમૃતમહોત્સવ- અને કટોકટીના ૫૦ વર્ષ, સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતી , ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી અને અટલ બિહારી...

જાન્યુઆરી 1, 2025 3:28 પી એમ(PM)

views 9

મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા નજીકનાં ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની આવક થઈ રહી છે

મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા નજીકનાં ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની આવક થઈ રહી છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે દરરોજ કપાસની 11 ગાડીઓની આવક થઈ રહી છે. જેમાં સરેરાશ ભાવ રૂપિયા 1450 થી 1500 રૂપિયા સુધીના રહ્યા હતા. એપ્રિલ મહિના સુધી વેચાણ ચાલશે. ખેડૂતોને સારા પ્રમાણમાં પોષણક્...

જાન્યુઆરી 1, 2025 3:26 પી એમ(PM)

views 16

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે 2025 ના નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે 2025 ના નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી વહેલી સવારની નવા વર્ષની મંગલા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. આજના નવા વર્ષા આરંભે શ્રધ્ધાળુઓએ પોતાના પરિવાર અને દેશની અને રાજ્યની પ્રગતિ માટેની પ્રાર્થના કરી હતી. જ્યારે પ્રથમ ...

જાન્યુઆરી 1, 2025 3:24 પી એમ(PM)

views 21

બનાસકાંઠાના સુઈગામના ઉચોસણ અને સોનેથ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણના મોત

બનાસકાંઠાના સુઈગામના ઉચોસણ અને સોનેથ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણના મોત થયા છે. ભારતમાલા રોડ ઉપર લકઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.નવા વર્ષના પ્રારંભે રાત્રિના બે વાગ્યાના અરસામાં આ અકસ્માત થયો હતો.

જાન્યુઆરી 1, 2025 3:20 પી એમ(PM)

views 9

સુરતના હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ કંપનીમાં પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે ચાર લોકોના મોત થયાં

સુરતના હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ કંપનીમાં પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે ચાર લોકોના મોત થયાં છે. કંપનીના ફોરેક્સ બે પ્લાન્ટમાં રો મટીરીયલ લઈ જતી પાઇપમાં ખામી સર્જાતા આ દુર્ઘટના ઘટી હતી.આ રો-મટીરીયલ ચાર લોકો પર પડ્યું હતું અને તેના જ કારણે ચાર કામદારો ઘટના સ્થળ પર મોત થયા હતા..આગમાં...

જાન્યુઆરી 1, 2025 3:17 પી એમ(PM)

views 11

ગાંધીનગરમાં આજે સવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી જેમાં બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરીને નવો જીલ્લો બનાવવા અંગે ચર્ચા કરાઇ

ગાંધીનગરમાં આજે સવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી જેમાં બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરીને નવો જીલ્લો બનાવવા અંગે ચર્ચા કરાઇ હતી. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, કેબિનેટની બેઠકમાં બે નવાં જિલ્લા બનાવવા અંગે મંજૂરી અપાઇ છે જોકે મુખ્યમંત્રી કક્ષાએથી આ અંગેની સત્તાવાર જાહેરાત કર...

જાન્યુઆરી 1, 2025 2:33 પી એમ(PM)

views 12

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરામાં રોપ-વે પ્રોજેક્ટ વિરુદ્ધ આંદોલન બંધ કરાયું

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરામાં રોપ-વે પ્રોજેક્ટ વિરુદ્ધ આંદોલન બંધ કરાયું છે. અમારા જમ્મુના સંવાદદાતાએ જણાવ્યું છે કે સરકાર અને સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે થયેલી સમજૂતી બાદ ગઈકાલે સાંજે સાતમા દિવસે આંદોલન બંધ કરાયું હતું.

જાન્યુઆરી 1, 2025 2:28 પી એમ(PM)

views 25

દેશના ઉત્તરી ક્ષેત્રમાં ગાઢ ધુમ્મસના કારણે અનેક ટ્રેનની અવરજવર પર અસર

દેશના ઉત્તરી ક્ષેત્રમાં ગાઢ ધુમ્મસના કારણે અનેક ટ્રેનની અવરજવર પર અસર થઈ છે. ભારતીય રેલવેના જણાવ્યા મુજબ, દિલ્હી આવનારી 22 ટ્રેન 2 કલાક સુધી મોડી ચાલી રહી છે, જેમાં અયોધ્યા એક્સપ્રેસ, પાતાલકોટ એક્સપ્રેસ, કૈફિયત એક્સપ્રેસ, તેલંગાણા એક્સપ્રેસ અને પદ્માવતી એક્સપ્રેસ સામેલ છે. મુસાફરોને સ્ટેશન પર જતા પહ...