નવેમ્બર 25, 2025 10:10 એ એમ (AM)

views 14

સ્ટેટ મોનિટરિંગ સેલે કચ્છમાંથી બે અલગ અલગ કેસ કરીને ત્રણ કરોડ કરતાં વધુનો વિદેશી બનાવટનો દારૂ જપ્ત કર્યો

સ્ટેટ મોનિટરિંગ સેલે પશ્ચિમ કચ્છના મુન્દ્રા વિસ્તારમાં ગેરકાયદે IMFL દારૂના મોટા જથ્થાની હેરાફેરીના બે અલગ-અલગ કેસોમાં કાર્યવાહી કરી છે.પ્રથમ કેસમાં, મુન્દ્રા નજીકથી એક ટ્રેલરમાંથી વિદેશી દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે અન્ય કેસમાં મુન્દ્રા પોર્ટ રેલવે સ્ટેશન પાસે કન્ટેનરમાંથી દાર...

નવેમ્બર 25, 2025 10:10 એ એમ (AM)

views 17

રાષ્ટ્રવિરોધી તત્વોની સઘન તપાસ ઝુંબેશ અંતર્ગત 31 હજાર 834 આરોપીઓની ગુજરાત પોલીસે ચકાસણી કરી

ગુજરાત પોલીસના વિશેષ અભિયાન દરમિયાનમાં 100 કલાકમાં રાષ્ટ્રવિરોધી તત્વોની સઘન તપાસ હાથ ધરાઇ રહી છે.જે અંતર્ગત છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનાના 31 હજાર 834 આરોપીઓની ચકાસણી કરવામાં આવી છે. અન લૉ ફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ, TADA, NDPS, આર્મ્સ, એક્સપ્લોઝિવ એક્ટ જેવા ગં...

નવેમ્બર 25, 2025 10:09 એ એમ (AM)

views 19

નવસારીમાં તૈયાર થયેલા અદ્યતન સુવિધાથી સજજ બસ પોર્ટનું આજે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના 13માં અદ્યતન બસ પોર્ટનું આજે નવસારીમાં લોકાર્પણ કરશે.આ અદ્યતન સુવિધા વાળુ 82 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન બસપોર્ટના લોકાર્પણમાં કેન્દ્રિય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ જોડાશે.પી.પી.પી. ધોરણે નિર્માણ પામતા આવા બસપોર્ટમાં મુસાફરોની સુગમ...

નવેમ્બર 25, 2025 10:09 એ એમ (AM)

views 22

આજે રાજ્યમંત્રીમંડળની યોજાનારી બેઠકમાં ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી, રાહત સહાય અને ખાતરની અછત અંગે ચર્ચા કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક આજે મળશે.આ કેબિનેટ બેઠક રાજ્યભરમાં ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી, રાહત સહાય અને ખાતરની અછત અંગે ચર્ચા કરાશે. તે ઉપરાંત રાજયભરમાં યોજાઇ રહેલી એકતા યાત્રાના અને રાજ્ય સરકારની આગામી ચિંતન શિબિર પર ચર્ચા થશે અમદાવાદના સંભવિત કોમનવેલ્થ ગેમ્સની જાહેર...

નવેમ્બર 25, 2025 8:30 એ એમ (AM)

views 12

છત્તીસગઢમાં પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) ના 15 સભ્યોએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢમાં પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) ના 15 સભ્યોએ ગઈકાલે આત્મસમર્પણ કર્યું. તેમના પર આશરે 50 લાખ રૂપિયાનું ઈનામ હતું. તેમાં 10 પુરુષો અને પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે. આ જૂથે સુકમા જિલ્લા પોલીસ મુખ્યાલય ખાતે પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણ સમક્ષ આત્મસમર્પણ કર્યું. જેમાં પીપલ્સ લિબ...

નવેમ્બર 25, 2025 8:29 એ એમ (AM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ સમારોહમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ સમારોહમાં ભાગ લેશે. અમારા સંવાદદાતાના જણાવે છે કે પ્રધાનમંત્રી મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, મહર્ષિ વાલ્મીકિ, દેવી અહલ્યા, નિષાદરાજ ગુહા અને માતા શબરીને સમર્પિત સપ્ત મંદિરની પણ મુલાકાત લ...

નવેમ્બર 24, 2025 7:55 પી એમ(PM)

views 23

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, ભારત અને કેનેડા મુક્ત વેપાર કરારની વાટાઘાટોને ઝડપી બનાવશે

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, ભારત અને કેનેડા દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વેગ આપવા માટે મુક્ત વેપાર કરાર-FTA માટે વાટાઘાટોને ઝડપી બનાવશે. આજે નવી દિલ્હીમાં ઇન્ડો-કેનેડિયન બિઝનેસ ચેમ્બરને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે, ભારત મહત્વપૂર્ણ ખનિજો, સ્વચ્છ ઉર્જા, પરમાણુ ઉર્જા અને પુરવઠા શૃંખલ...

નવેમ્બર 24, 2025 7:52 પી એમ(PM)

views 15

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, ભગવદ ગીતાનો સંદેશ ભારતની બહાર પણ માનવતા માટે સાર્વત્રિક માર્ગદર્શકનું કાર્ય કરે છે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે જણાવ્યું, ભગવદ ગીતાનો સંદેશ ભારતની બહાર પણ માનવતા માટે સાર્વત્રિક માર્ગદર્શકનું કાર્ય કરે છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા પરિષદમાં, તેમણે કહ્યું કે આ ગ્રંથે પેઢી દર પેઢી જીવનને આકાર આપ્યો છે જે યુવાનોને પ્રેરણા આપવા માટે મહત્વપૂર્ણ રહે છે. આ પરિષદ કુરુક્ષે...

નવેમ્બર 24, 2025 7:51 પી એમ(PM)

views 17

પીઢ અભિનેતા અને પદ્મ ભૂષણ ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે અવસાન

હિન્દી સિનેમાના પ્રખ્યાત પીઢ અભિનેતા અને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે અવસાન થયું. લાંબા સમયથી બિમાર રહેલા સ્વર્ગીય ધર્મેન્દ્રએ મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. આ મહિનાની શરૂઆતમાં તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હિન્દી સિનેમામાં હી મેન તરી...

નવેમ્બર 24, 2025 7:49 પી એમ(PM)

views 22

ઉત્તરાખંડના ટિહરીમાં બસ ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં મોત

ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના નરેન્દ્ર નગર ખાતે કુંજપુરી-હિંડોળાખલ નજીક આજે એક બસ ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા. પ્રાથમિક અહેવાલ મુજબ, બસમાં લગભગ 28 મુસાફરો હતા. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ-SDRFની ટુકડીએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.