ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

 “મિશન થ્રી મિલિયન ટ્રીઝ” અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરમાં માત્ર 45 દિવસમાં 20 લાખથી વધુ છોડનું વાવેતર

અમદાવાદ મહાનગરપાલિકાએ “મિશન થ્રી મિલિયન ટ્રીઝ” અભિયાન અંતર્ગત શહેરમાં માત્ર 45 દિવસમાં 20 લાખથી વધુ છોડનું વાવેતર કર્યું છે. મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ કહ્યું કે, આ અભિયાન અંતર્ગત 100 દિવસમાં 30 લાખ જેટલા છોડ રોપવાનો લક્ષ્યાંક છે.
શ્રી ચૌધરીએ કહ્યું, મહાનગરપાલિકા દ્વારા 15 જૂનથી શરૂ કરાયેલા આ અભિયાન હેઠળ શહેરના સાત ઝોન અને 48 વૉર્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો હવે 9થી 10 લાખ જેટલો જ લક્ષ્યાંક બાકી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરાશે. આ અભિયાન થકી શહેરનું લીલું આવરણ 6થી 8 ટકા જેટલું વધવાનો અંદાજ પણ છે. દરમિયાન શ્રી ચૌધરીએ શહેરીજનોને વૃક્ષારોપણના આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 વર્ષમાં શહેરમાં 75 લાખથી વધુ છોડનું વાવેતર કરાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.