૩ ઓક્ટોબર, 2024ના રોજ પીએમ ઇન્ટર્નશિપ યોજના શરૂ થયા પછી દેશભરમાંથી છ લાખથી વધુ અરજીઓ મળી છે. લોકસભામાં એક લેખિત જવાબમાં, કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે પાયલોટ યોજના હેઠળ ભાગીદાર કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં એક લાખ 27 હજારથી વધુ ઇન્ટર્નશિપ પૂરી પાડવામાં આવતા આ યોજનાને બહોળો પ્રતિસાદ મળ્યો છે. શ્રીમલ્હોત્રાએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં, ભાગીદાર કંપનીઓ દ્વારા 80 હજારથી વધુ ઇન્ટર્નશિપ ઓફર કરવામાં આવી હતી, જેમાંથી 28 હજારથી વધુ ઉમેદવારોએ ઓફર સ્વીકારી હતી. રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે યોજનાનો બીજો તબક્કો આ વર્ષે 9 જાન્યુઆરીથી શરૂ થયો હતો.
Site Admin | ફેબ્રુવારી 3, 2025 6:41 પી એમ(PM)
૩ ઓક્ટોબર, 2024ના રોજ પીએમ ઇન્ટર્નશિપ યોજના શરૂ થયા પછી દેશભરમાંથી છ લાખથી વધુ અરજીઓ મળી છે
