હોળી ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખી એસ-ટી વિભાગ 1200 જેટલી વધારાની બસો દોડાવશે. હોળી ધૂળેટીના તહેવારોમાં લોકોનો વતને જવા ધસારો રહેતો હોવાથી એસ-ટી વિભાગ
દ્વારા વધારાના ફેરાનું આયોજન કરાયું છે. આ તહેવારમાં ડાકોરના રણછોડરાયના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી ડાકોર જવા 500 જેટલી બસો થકી 4 હજાર ફેરા કરાશે.
Site Admin | માર્ચ 10, 2025 7:25 પી એમ(PM)
હોળી ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખી એસ-ટી વિભાગ 1200 જેટલી વધારાની બસો દોડાવશે
