મે 18, 2025 2:09 પી એમ(PM)

printer

હૈદરાબાદમાં લાગેલી આગમાં આઠ લોકોના મોત અનેક ઇજાગ્રસ્ત

હૈદરાબાદમાં ચારમીનાર નજીક રહેણાંક વિસ્તારમાં આજે સવારે લાગેલી આગમાં લગભગ આઠ લોકોના મોત થયા છે જ્યારે ઇજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. નવ અન્ય લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અગ્નિશમન દળની 11 ટીમ આગ બુઝાવવાના કામે લાગી હતી અને 16 લોકોને બચાવ્યા હતા. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તેની તપાસ ચાલી રહી હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગની આ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં, તેમણે મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયાની સહાય જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમણે ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.
કેન્દ્રીય કોલસા ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ ઘટના સ્થળની મુલાકાત લઈને અસરગ્રસ્ત પરિવારોને તમામ સહાયની ખાતરી આપી હતી. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને સારી તબીબી સહાય પૂરી પાડવા માટે તમામ પગલાં લેવા નિર્દેશ આપ્યો છે.