હૈદરાબાદથી ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી, જેમાં ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા.
બસ 45 મુસાફરો જેમાં 43 ઉમરાહ યાત્રાળુઓ અને 2 સ્થાનિક સુવિધાકર્તાઓને લઈ જઈ રહી હતી, જ્યારે તે સાઉદી સમય મુજબ રાત્રે 11 વાગ્યે બદર અને મદીના વચ્ચે મુફરાહત નામના સ્થળે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. યાત્રાળુઓએ ઉમરાહ પૂર્ણ કર્યા પછી બસ મક્કાથી રવાના થઈ હતી.
ડીઝલ ટેન્કર સાથે અથડાતાં જ બસમાં આગ લાગી ગઈ. પ્રાપ્ત MAHઈટી અનુસાર મૃતકોમાં 20 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયામાં ભારતીય રાજદૂત વ્યક્તિગત રીતે આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
Site Admin | નવેમ્બર 17, 2025 7:44 પી એમ(PM)
હૈદરાબાદથી સાઉદી અરેબિયાના ઉમરાહ જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતા 42 યાત્રાળુના મોત