ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 1, 2025 3:31 પી એમ(PM)

printer

હવામાન ખાતાએ આગામી પાંચ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી

હવામાન ખાતાએ આગામી પાંચ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ ચાર સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
દરમિયાન રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટતાં બપોરે 12 વાગ્યા સુધીમાં 43 તાલુકામાં વરસાદ થયો. સૌથી વધુ સવા એક ઇંચ જેટલો વરસાદ દાહોદના ઝાલોદ તાલુકામાં થયાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 91 ટકા જેટલો વરસાદ થયો. તેમાંથી સૌથી વધુ 95 ટકા જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે.
રાજ્યમાં વરસાદને લઈ ઓગણએંસી બંધ 100 ટકા ભરાયા. જ્યારે 108 બંધ હાઈ અલર્ટ અને 28 બંધ અલર્ટ પર રખાયા છે. બીજી તરફ, ચાર રાજ્ય ધોરીમાર્ગ સહિત રાજ્યના કુલ 143 માર્ગ વાહનવ્યવહાર માટે બંધ છે.