સમગ્ર દેશ આવતીકાલે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચિર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રને સંબોધિત કરશે.
વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સરકારના લક્ષ્યાંકને સુસંગત આ વર્ષે સ્વતંત્રતા દિવસ સમારોહનો વિષય “નયા ભારત” છે. નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને જગાડવા અને ઑપરેશન સિંદૂરના વિજયની ઉજવણી કરવા સ્વતંત્રતા દિવસ સમારોહની સાંજે પહેલી વાર દેશભરમાં અનેક બૅન્ડ પ્રસ્તૂતિ રજૂ કરાશે.
Site Admin | ઓગસ્ટ 14, 2025 2:35 પી એમ(PM)
સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીના લાલ કિલ્લા ખાતે આવતીકાલે રાષ્ટ્રીય ઉજવણી થશે.
