મહારાષ્ટ્રના પાંચ દરિયાકિનારાને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ જણાવ્યુ કે આ યાદીમાં રાયગઢ જિલ્લાના શ્રીવર્ધન, પાલઘરમાં નાગાંવ અને પરનાકા, રત્નાગિરિ જિલ્લામાં ગુહાગર અને લાડઘર દરિયાકિનારાનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર ડેનમાર્કની પર્યાવરણીય શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સંસ્થા દ્વારા સ્વચ્છતા, સુંદરતા અને પર્યાવરણીય ટકાઉપણું સંબંધિત 33 માપદંડોને પૂર્ણ કરતાં દરિયાકિનારાને અપાય છે.
Site Admin | ઓક્ટોબર 12, 2025 7:45 પી એમ(PM)
સ્વચ્છતા અને સુંદરતા સંબંધિત 33 માપદંડને પૂર્ણ કરવા બદલ મહારાષ્ટ્રના પાંચ દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય બ્લ્યુ ફ્લેગ પ્રમાણપત્ર એનાયત