સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ આવતીકાલથી 29મી ઓક્ટોબર સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. તેની સાથે તેની પત્ની બેગોનાગોમેઝ પણ હશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. સ્પેનના રાષ્ટ્રપતિની મુલાકાત 18 વર્ષ બાદ થઈ રહી છે.
આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ સાંચેઝ બહુપક્ષીય બેઠકો દરમિયાન ઘણી વખત મળ્યા હતા. મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ સાંચેઝ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. બંને નેતાઓ વડોદરા ખાતે C-295 એરક્રાફ્ટના ફાઇનલ એસેમ્બલી લાઇન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, જે ઉડ્ડયન ક્ષેત્રમાં મુખ્ય ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ છે, જે ટાટા એડવાન્સ સિસ્ટમ્સ દ્વારા એરબસ સ્પેનના સહયોગથી સ્થાપિત કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ સાંચેઝ સાથે પણ મુલાકાત કરશે. પ્રમુખ સાંચેઝ મુંબઈની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ વેપાર અને ઉદ્યોગના અગ્રણીઓ, બુધ્ધિજીવી વર્ગ અને ફિલ્મ ઉદ્યોગ સાથે વાતચીત કરશે. મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સહકારને વેગ આપનારા સંખ્યાબંધ એમઓયુ અને કરારો પર હસ્તાક્ષર થશે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 7:41 પી એમ(PM)
સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ આવતીકાલથી ત્રણ દિવસના ભારતના પ્રવાસે
