હવામાન વિભાગે આગામી 27 ઑગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દરમિયાન આવતીકાલે જુનાગઢ, ગીરસોમનાથ, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં અતિભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ 26 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તેમજ રાજ્યના દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.
Site Admin | ઓગસ્ટ 22, 2025 7:09 પી એમ(PM)
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી