ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 16, 2025 8:06 પી એમ(PM)

printer

સોમનાથ, નડાબેટ, વડનગર અને મોઢેરા માટે GSRTC એસી વોલ્વો બસમાં વિશેષ ટુર પેકેજ શરૂ કરાશે.

ગુજરાત એસ ટી નિગમ દ્વારા સોમનાથ દર્શન અને નડાબેટ, વડનગર અને મોઢેરા માટે એસી વોલ્વો બસમાં વિશેષ ટુર પેકેજ શરૂ કરાશે. આ નિર્ણયથી રાજ્યના પ્રવાસીઓને વાજબી ભાવે ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની આરામદાયક મુલાકાતનો લાભ મળશે. સોમનાથ દર્શન ટુર પેકેજ અંતર્ગત આગામી 28 એપ્રિલથી રાણીપ, અમદાવાદથી નિયમિત ધોરણે સવારે 6 કલાકે અદ્યતન એ.સી. વોલ્વો બસ ઉપડશે, સાંજે 4 કલાકે સોમનાથ પહોંચશે અને બીજા દિવસે પરત ફરશે.
આ અંગે જી એસ આર ટી સી ના અધિકારી આર.ડી.ગલચરે વધુ માહિતી આપતા જણાવ્યું કે, આ માટે સિંગલ શેરિંગ માટે પ્રતિ વ્યક્તિ 4 હજાર રૂપિયા અને ડબલ શેરિંગ માટે 7 હજાર 50 રૂપિયાનું પેકેજ નક્કી કરાયું છે. નડાબેટ, વડનગર અને મોઢેરા ટુર પેકેજ અંતર્ગત આગામી 26 એપ્રિલથી દર શનિવાર અને રવિવારે એ.સી. વોલ્વો બસ ઉપડશે.