સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ચિંતન શિબિરનો આરંભ કરાવ્યો હતો..મુખ્યમંત્રી સહિત સરકારના તમામ મંત્રીઓ, સચિવો સહિત 197 શિબિરાર્થી આ ચિંતન શિબિરમાં સહભાગી બન્યા છે. રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની
સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્ત્વપૂર્ણ વિષયો પર જૂથ ચર્ચા અને સામૂહિક મંથન-ચિંતન થશે. શિબિરના આજે પ્રથમ દિવસે “યોગ-પરમ આનંદ અને સુશાસનનો રાજમાર્ગ” વિષય પર મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવી રહ્યું છે.
Site Admin | નવેમ્બર 21, 2024 7:42 પી એમ(PM)
સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે
