સોમનાથના માઢવાડ બંદરે દરિયામાં ડૂબી જતાં બે બાળકો મોત થયા હતા. બંને બાળકો શાળાએથી છૂટી દરિયામાં થરમોકોલ ઉપર બેસી રમતા હતા તે દરમિયાન પવન તેજ હોવાના કારણે બંને બાળકો દરિયામાં ડૂબ્યાં હતા. ગામના માછીમાર યુવાનોએ માછલી પકડવાની જાળથી બાળકોની શોધખોળ હાથ ધરી હતી.જેમાં એકપછી એક એમ બંને બાળકોના મૃતદેહ ફસાતા બહાર કઢાયા હતા.
Site Admin | માર્ચ 21, 2025 6:28 પી એમ(PM) | મોત
સોમનાથના માઢવાડ બંદરે દરિયામાં ડૂબી જતાં બે બાળકો મોત થયા
