સૈન્યના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જાપાનમાં આયોજિત બીજી આર્મી પરિષદમાં વર્ચ્યુઅલ સંબોધનમાં બહુરાષ્ટ્રીય સંરક્ષણ સહયોગ વધારવાના મહત્વ પર ભાર મૂક્યો. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની સુરક્ષા અને વ્યૂહાત્મક પરિપ્રેક્ષ્ય પર પ્રકાશ પાડ્યો હતો.. આ પરિષદમાં જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને કોરિયા રિપબ્લિક સહિત અનેક દેશોના સેના પ્રમુખો અને વરિષ્ઠ જનરલોએ ભાગ લીધો હતો.
શ્રી દ્વિવેદીએ પ્રાદેશિક સ્થિરતા અને મુક્ત, ખુલ્લા અને સમાવેશી પ્રશાંત ક્ષેત્ર માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનઃરોચ્ચાર કર્યો હતો. આ પરિષદ સંરક્ષણ સંબંધોને મજબૂત કરવા અને શાંતિપૂર્ણ, સ્થિર અને સુરક્ષિત પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પ્રાદેશિક અને વૈશ્વિક શક્તિઓ વચ્ચે વધતી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
Site Admin | ડિસેમ્બર 15, 2024 8:30 એ એમ (AM) | સૈન્યના વડા
સૈન્યના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જાપાનમાં આયોજિત બીજી આર્મી પરિષદમાં વર્ચ્યુઅલ સંબોધનમાં બહુરાષ્ટ્રીય સંરક્ષણ સહયોગ વધારવાના મહત્વ પર ભાર મૂક્યો.
