મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન અનેક પહેલનું અનાવરણ અને વિકાસ કામોના લોકાર્પણ કરાયા. જેમાં રાજ્ય સરકાર દ્વારા સંકલિત નવીનીકરણીય ઉર્જા નીતિ–2025ની શરૂઆત કરવામાં આવી. રાજ્ય સરકારની યોજનાઓ-નીતિઓ અંગેના કાયદાઓ, નિયમો, ઠરાવો, પરિપત્રો અને જાહેરનામાને એક જ ક્લિક પર સર્ચ કરી શકાય તે માટેની પહેલ ‘G-SAAR’ પોર્ટલ, સીએમ ફેલોશીપ મોનિટરિંગ પોર્ટલ તેમજ બિનનિવાસી ગુજરાતીઓને ગુજરાત સાથે વધુ નજીકથી જોડતી ‘NRG’ વેબસાઇટનો પણ શુભારંભ કરાયો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું, વહીવટી પાંખ જેટલી મજબૂત હશે તેટલી લોકોને વધુ સુખાકારી પ્રાપ્ત થશે.
આ અવસરે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 120 કરોડથી વધુના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ વિભાગોના વિવિધ સંસ્થાઓ સાથેના મહત્વપૂર્ણ સમજૂતી કરાર કરાયા.
Site Admin | ડિસેમ્બર 25, 2025 7:43 પી એમ(PM)
સુશાસન દિવસ નિમિતે ગાંધીનગરમાં સંકલિત નવીનીકરણીય ઉર્જા નીતિ–2025 સહિતની અનેક નાગરિકલક્ષી પહેલોનો શુભારંભ