માર્ચ 23, 2025 3:20 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા પાસેના નવલગઢ ગામની પેપર મિલમાં લાગી આગ

સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા પાસેના નવલગઢ ગામની પેપર મિલમાં આગ લાગી હતી.. એક પેપર મિલમાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી.. બપોરના સમયે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને આર્મીના ફાયર ફાઈટર ની ટીમો આગ બુઝાવવાની કામગીરીમાં લાગી ગઇ હતી.. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.. આ આગને કારણે વ્યાપક નુકસાન થયું હતું. જોકે આગને કારણે કોઇ જાનહાનીના અહેવાલ સાંપડ્યા નથી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.