સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ડોક્ટર રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે મળી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરે હીટવેવ માટે તકેદારીનાં પગલાંઓ, કચેરીઓમાં બપોરવચ્ચેનાં સમયગાળામાં ઘટાડો કરી સવારે અને સાંજે સમય વધારવા માટે, જનસેવા કેન્દ્રો સહીત સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ માટે છાંયડામાં બેસવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, બાંધકામ શ્રમયોગીઓ, રોડ રસ્તાની કામગીરી, નરેગાની કામગીરી કરતાં શ્રમિકો માટે કામગીરીનાં સ્થળોએ બપોરનાં સમયગાળા દરમિયાન છાંયડામાં બેસવાની વ્યવસ્થા સહિતનાં પગલાં લેવા સૂચન કર્યું હતું.
Site Admin | માર્ચ 15, 2025 2:27 પી એમ(PM)
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી
