ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 14, 2025 7:23 પી એમ(PM) | સુરત

printer

સુરતમાં સાતમા માળેથી પટકાતાં બે કારીગરોના મોત થયા છે.

સુરતમાં સાતમા માળેથી પટકાતાં બે કારીગરોના મોત થયા છે. નાનપુરા વિસ્તારમાં કૈલાશનગરના શાલિભદ્ર એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ફ્લેટની બહાર બારી નજીક એસી રિપેરિંગનું કામ કરી રહેલા બે કારીગરો લોખંડની એંગલ તૂટી જતા સાતમા માળેથી નીચે પડ્યા હતા. જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.