સપ્ટેમ્બર 2, 2025 1:55 પી એમ(PM)

printer

સુદાનમાં થયેલા ભૂસ્ખલનને કારણે એક હજારથી વધુ લોકોના મોત

સુદાનમાં થયેલા મોટા ભૂસ્ખલનમાં એક હજારથી વધુ લોકોના મોત થયા છે. ભૂસ્ખલનમાં એક આખું પર્વતીય ગામ તૂટી ગયું છે, ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
સુદાન લિબરેશન મુવમેન્ટે જણાવ્યું હતું કે સાઇટ્રસના ઉત્પાદન માટે જાણીતા પ્રદેશનો એક ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. જૂથે સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સહાય એજન્સીઓને પીડિતોના મૃતદેહ મેળવવામાં મદદ કરવા પણ અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સુદાન 2023 થી સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે લોહિયાળ ગૃહયુદ્ધમાં ફસાયેલું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.