ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 12, 2025 7:59 પી એમ(PM)

printer

સી. પી. રાધાકૃષ્ણને આજે દેશના 15-મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

સી. પી. રાધાકૃષ્ણનન આજે દેશના 15-મા ઉપરાષ્ટ્રપતિ બન્યા. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે શ્રી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંઘ, જે. પી. નડ્ડા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા.
શપથગ્રહણ સમારોહ બાદ ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણનને રાજઘાટ પર મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે સદૈવ અટલ ખાતે પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીને પણ શ્રદ્ધાંજલિ આપી. ઉલ્લેખનીય છે કે, આ મહિનાની નવમી તારીખે ઉપરાષ્ટ્રપતિ પદ માટે થયેલી ચૂંટણીમાં સી. પી. રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા. તેમણે વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને 152 મતના અંતરથી હરાવ્યા હતા.