ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 14, 2024 4:32 પી એમ(PM)

printer

સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે ચૂંટણીના નિયમો અનુસાર સોરેંગ-ચકુંગ મતવિસ્તારમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી

સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે ચૂંટણીના નિયમો અનુસાર સોરેંગ-ચકુંગ મતવિસ્તારમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
તાજેતરની ચૂંટણી દરમિયાન બે મતવિસ્તારોમાં જીત મેળવ્યા બાદ શ્રી તમાંગે આ નિર્ણય લીધો છે. ચૂંટણીના નિયમો મુજબ પરિણામ જાહેર થયાના 14 દિવસમાં તેનું પાલન કરવું જરૂરી હોય છે.
તેમની પાર્ટી સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ લોકસભાની ચૂંટણી સાથે એકસાથે યોજાયેલી ચૂંટણીમાં 32 વિધાનસભા બેઠકોમાંથી 31 બેઠકો જીતી હતી. તેઓ રેનોક અને સોરેંગ-ચાકુંગ બંને મતક્ષેત્રો પરથી જીત્યા.
મુખ્યમંત્રી તમંગે આજે એક સત્તાવાર નિવેદનમાં સિક્કિમના લોકો અને ખાસ કરીને સોરેંગ-ચાકુંગ અને રેનોક મતવિસ્તારના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.