સાહિત્ય અકાદમી 7 થી 12 માર્ચ દરમિયાન નવી દિલ્હીના રવિન્દ્ર ભવન ખાતે વાર્ષિક સાહિત્ય ઉત્સવનું આયોજન કરશે. આ એશિયાનો સૌથી મોટો સાહિત્યિક ઉત્સવ હશે. એકેડેમીના સચિવ ડૉ. કે. શ્રીનિવાસ રાવે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છ દિવસીય આ મહોત્સવનું ઉદ્ઘાટન સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત કરશે. દેશના વિવિધ ભાગોમાંથી 50 થી વધુ ભાષાઓનું પ્રતિનિધિત્વ કરતા 700 થી વધુ લેખકો આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ મહોત્સવમાં લગભગ ૧૨૦ સત્રો હશે, જેનો વિષય “ભારતીય સાહિત્યિક પરંપરાઓ” છે.
Site Admin | માર્ચ 5, 2025 7:17 પી એમ(PM) | સાહિત્ય
સાહિત્ય અકાદમી 7 થી 12 માર્ચ દરમિયાન નવી દિલ્હીના રવિન્દ્ર ભવન ખાતે વાર્ષિક સાહિત્ય ઉત્સવનું આયોજન કરશે
