રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે વિકાસને ટકાઉ અને સમાવિષ્ટ બનાવવા માટે સંસાધનોનું સંચાલન કાર્યક્ષમતા અને વાજબીપણા સાથે કરવું જોઈએ.
રાષ્ટ્રપતિ ભવનમાં આજે ભારતીય મહેસુલ સેવાના તાલીમાર્થી અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશમાં માળખાગત સુવિધા વધી રહી છે, ડિજિટલ કનેક્ટિવિટીના તફાવતને દૂર કરી રહી છે અને આર્થિક તકો પહેલા કરતાં વધુ સુલભ બની છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય મહેસૂલ સેવાના અધિકારીઓનું કામ શાસન અને કલ્યાણ માટે સૌથી મહત્વપૂર્ણ કાર્યોમાંનું એક છે. તેમણે ઉમેર્યું કે ભારતીય મહેસૂલ સેવાના અધિકારીઓ આ આવશ્યક સંસાધનને ન્યાયી, અસરકારક અને પારદર્શક રીતે સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
Site Admin | માર્ચ 4, 2025 7:29 પી એમ(PM) | વ્યવહારૂ ઉપયોગ
સાતત્યપૂર્ણ વિકાસને ટકાઉ અને સમાવિષ્ટ બનાવવા માટે સંસાધનોનો કાર્યક્ષમ અને વ્યવહારૂ ઉપયોગ થવો જોઇએ :રાષ્ટ્રપતિ
