સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના અંતર્ગત વર્ષ 2024 સુધીમાં એક હજાર 9 કરોડ રૂપિયાના ખર્ચે 73 હજાર 762 કિલોમીટર જર્જરિત વીજ લાઈનો અને એક લાખ 74 હજારથી વધુ થાંભલા બદલવામાં આવ્યા છે. વિધાનસભામાં ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું, દરિયાકિનારે વાવાઝોડાથી વીજ વાયરોને થતું નુકસાન અટકાવવા ઓવરહેડ લાઈનને અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી પ્રગતિમાં છે. શ્રી દેસાઈ વધુ વિગતો આપતાં કહ્યું, આ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં 49 કરોડ 64 લાખ રૂપિયા તેમજ જામનગર જિલ્લામાં 92 કરોડ 56 લાખ રૂપિયાનો
ખર્ચ કરાયો છે.
Site Admin | માર્ચ 25, 2025 7:15 પી એમ(PM)
સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના અંતર્ગત વર્ષ 2024 સુધીમાં એક હજાર 9 કરોડ રૂપિયાના ખર્ચે 73 હજાર 762 કિલોમીટર જર્જરિત વીજ લાઈનો અને એક લાખ 74 હજારથી વધુ થાંભલા બદલવામાં આવ્યા છે
