જુલાઇ 24, 2025 7:46 પી એમ(PM)

printer

સહકાર મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સહકારી નીતિ 2025નું અનાવરણ કર્યું.

સહકાર મંત્રી અમિત શાહે આજે સાંજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સહકારી નીતિ 2025નું અનાવરણ કર્યું. આ પ્રસંગે , શ્રી શાહે કહ્યું કે આ નીતિ વિકસિત ભારત 2047 ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ નીતિનો હેતુ પાયાના સ્તરે રોડમેપ તૈયાર કરીને સહકારી દ્વારા સમૃદ્ધિના દ્રષ્ટિકોણને સાકાર કરવાનો છે. તેમણે કહ્યું કે દેશની પ્રથમ રાષ્ટ્રીય સહકારી નીતિ 2002 માં અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી હતા ત્યારે બહાર પાડવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.