સર્વોચ્ચ અદાલતે 2020ના દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે, આરોપીઓ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે.
જોકે, ન્યાયાધીશ અરવિંદ કુમાર અને ન્યાયાધીશ એન.વી. અંજારિયાની બેન્ચે આ કેસમાં પાંચ અન્ય આરોપીઓ ગુલ્ફીશા ફાતિમા, મીરાં હૈદર, શિફા ઉર રહેમાન, સલીમ ખાન અને શાદાબ અહમદને જામીન આપ્યા છે.
કોર્ટે કહ્યું કે UAPA હેઠળ જામીન નકારવા માટેની કાનૂની મર્યાદા ખાલિદ અને ઇમામ પર લાગુ પડે છે. આ કેસ આરોપો સાથે સંબંધિત છે કે આરોપીઓ ફેબ્રુઆરી 2020 માં ઉત્તરપૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણોના માસ્ટરમાઇન્ડ હતા, જેમાં નાગરિકતા (સુધારા) કાયદા અને રાષ્ટ્રીય નાગરિક નોંધણી (એનઆરસી) વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન 53 લોકો માર્યા ગયા હતા.
Site Admin | જાન્યુઆરી 5, 2026 2:28 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતે 2020ના દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન આપવાનો ઇનકાર કર્યો.