સર્વોચ્ચ અદાલતે સર્વોચ્ચ અદાલતે આજે દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરાના અભાવ અંગે સુઓમોટો કેસ નોંધ્યો છે.
ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે એક મીડિયા રિપોર્ટની નોંધ લઈ ટાંક્યું કે, વર્ષ 2025ના પહેલા આઠ મહિનામાં રાજસ્થાનમાં પોલીસ કસ્ટડીમાં અગિયાર લોકોના મોત થયા હતા.
અદાલતે પારદર્શિતા જાળવવા અને કસ્ટડીમાં થતા ત્રાસની ઘટનાઓને રોકવા માટે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત બનાવી દીધું છે.
સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો હતો કે, દરેક પોલીસ સ્ટેશનના એસએચઓને સીસીટીવી ડેટા જાળવવા, રેકોર્ડિંગનો બેકઅપ લેવા અને ખામીઓ સુધારવાની જવાબદારી સોંપવામાં આવે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 7:40 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતે દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરાના અભાવ અંગે સુઓમોટો કેસ નોંધ્યો.