ડિસેમ્બર 30, 2025 9:35 એ એમ (AM)

printer

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને અરવલ્લી પર્વત માળા મામલે ગુજરાત સહિત ચાર રાજ્યોને નોટિસ જારી કરી

સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાના પોતાના જ ચુકાદા પર સ્ટે મૂકયો.અદાલતે કેન્દ્ર સરકાર અને અરવલ્લી પર્વત માળાની સરહદી રાજ્યો રાજસ્થાન,ગુજરાત,દિલ્હી અને હરિયાણાને નોટિસ જારી કરી.સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યાને લગતી ચિંતાઓનો, પર્યાવરણવાદીઓ અને વિપક્ષી પક્ષો દ્વારા પર્વતીય ઇકોસિસ્ટમ પર તેની સંભવિત અસર અંગે વધતી ટીકા વચ્ચે આ નિર્ણય લીધો છે. જયારે અરવલ્લી પર્વતમાળાની નવી સૂચિત વ્યાખ્યા સામે વાંધો ઉઠાવ્યા બાદ થયો છે, જે 100-મીટર ઊંચાઈના માપદંડ પર આધારિત છે.