ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 17, 2024 2:17 પી એમ(PM) | સર્વોચ્ચ અદાલત

printer

સર્વોચ્ચ અદાલતે આસામમાં ગેરકાયદે પ્રવાસીઓને ભારતીય નાગરિકત્વ આપવા સંબંધિત નાગરિકતા અધિનિયમની ધારા – 6 એ ની બંધારણીય માન્યતાને યથાવત્ રાખી

સર્વોચ્ચ અદાલતે ચાર-એકની બહુમતીના નિર્ણયમાં આસામમાં ગેરકાયદે પ્રવાસીઓને ભારતીય નાગરિકત્વ આપવા સંબંધિત નાગરિકતા અધિનિયમની ધારા – 6 એની બંધારણીય માન્યતાને યથાવત્ રાખી છે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની પીઠે કહ્યું કે, ‘આસામ સમજૂતી ગેરકાયદેસર શરણાર્થીઓની સમસ્યાનો રાજકીય ઉકેલ છે.’ ન્યાયાધીશ સૂર્ય કાન્ત, એમ. એમ. સુંદરેશ અને મનોજ મિશ્રાએ પોતાના ચુકાદામાં કહ્યું કે, ‘સંસદ પાસે આ જોગવાઈને લાગુ કરવાની કાયદાકીય ક્ષમતા હતી.’