મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સરસ્વતી નદીના નવસર્જનથી ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના એક હજાર 500 હેક્ટરથી વધુ વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ મળશે.પાટણના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના નવસર્જનની કામગીરીની શરૂઆત કરાવતા શ્રી પટેલે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન શક્તિને જળ શક્તિ સાથે જોડીને રાજ્યમાં જળવ્યવસ્થાપનનું પાણીદાર આયોજન કર્યું. આ પ્રસંગે શ્રી પટેલે માતૃશ્રી હીરાબા સરોવરનું પણ લોકાર્પણ કર્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 18, 2025 9:13 એ એમ (AM)
સરસ્વતી નદીના નવસર્જનથી ઉત્તર ગુજરાતનાં એક હજાર 500 હેક્ટરથી વધુ વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ મળશે- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ