સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગ રૂપે અમદાવાદ જિલ્લામાં આવતીકાલથી વિધાનસભા સ્તરે ૨૧ સ્થળોએ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ દિવસે નિકોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્ર્મ યોજાશે
આ પદયાત્રાની માહિતી આપતા જિલ્લા કલેકટર સુજીત કુમારે કહ્યું કે, આ પદયાત્રાનો હેતુ, સરદાર પટેલના એકીકૃત ભારતના દ્રષ્ટિકૉણથી યુવાનો પ્રેરાઇ પ્રધાનમંત્રીના “વિકસિત અને આત્મનિર્ભર ભારત”ના મિશનમાં જોડાઈ સાચા અર્થમાં જનભાગીદારીના સંકલ્પને સાર્થક કરવાનો છે.
Site Admin | નવેમ્બર 15, 2025 7:33 પી એમ(PM)
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગ રૂપે આવતીકાલથી રાજ્યમાં પદયાત્રા યોજાશે