જાન્યુઆરી 16, 2026 1:59 પી એમ(PM)

printer

સરકાર સંસદના આગામી અંદાજપત્ર સત્રમાં બીજ કાયદો 2026 રજૂ કરશે

સરકાર સંસદના આગામી અંદાજપત્ર સત્રમાં બીજ કાયદો 2026 લાવશે.
આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ કાયદાનો ઉદ્દેશ્ય નબળી ગુણવત્તાવાળા, નકલી અને અનધિકૃત બીજના વેચાણને રોકવાનો તથા આબોહવા-સ્થિતિસ્થાપક જાતોને પ્રોત્સાહન આપવાનો છે.
વધુમાં, તેમણે કહ્યું કે નવા કાયદા દ્વારા ખેડૂતો બીજ ક્યાંથી આવ્યા અને કોણે તેમને પૂરા પાડ્યા તે પણ જાણી શકશે.