ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 26, 2025 8:23 એ એમ (AM)

printer

સરકાર વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોની પડખે હોવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિશ્વાસ અપાવ્યો

કૃષિ મંત્રી રાઘવજી પટેલે બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના વરસાદથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ નુકસાનગ્રસ્ત થયેલા પાકનું નિરીક્ષણ કર્યું.
શ્રી પટેલે સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો. તેમણે કહ્યું, સરહદી વિસ્તારના ખેડૂતોને સહાય પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું સરકાર હંમેશાં ખેડૂતોની પડખે ઊભી છે