ડિસેમ્બર 12, 2025 2:40 પી એમ(PM)

printer

સરકાર લોકસભામાં વાયુ પ્રદૂષણના મુદ્દે ચર્ચા કરવા તૈયાર

સરકાર લોકસભામાં વાયુ પ્રદૂષણના મુદ્દે ચર્ચા કરવા તૈયાર હોવાનું કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું છે. તેમણે કહ્યું કે આ મુદ્દો વ્યાપાર સલાહકાર સમિતિમાં વિપક્ષના નેતા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, તેથી સરકારે તેના પર ધ્યાન આપવાની જરૂર છે.
શૂન્ય કલાક દરમિયાન આ મુદ્દો ઉઠાવતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે જેનો દેશ હાલમાં સામનો કરી રહ્યો છે. શ્રી ગાંધીએ વધુમાં ઉમેર્યું કે ગૃહમાં આ મુદ્દા પર ચર્ચા કરવા માટે વિપક્ષ અને સરકાર વચ્ચે સંપૂર્ણ સંમતિ હશે. તેમણે કહ્યું કે શહેરોમાં વાયુ પ્રદૂષણથી કેવી રીતે છુટકારો મેળવવો તે અંગે સરકારે કોઈ યોજના વિકસાવવી જોઈએ અને કોંગ્રેસ સહિત વિપક્ષ આવી યોજનાના વિકાસને સમર્થન આપવા માટે સહકાર આપશે.
દરમિયાન કાર્તિગાઇ દીપમ મુદ્દે ડીએમકે સાંસદોનાં વિરોધ બાદ લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.