ઓક્ટોબર 18, 2024 7:28 પી એમ(PM)

printer

સરકારે મધ્યસ્થી અને સમાધાન સુધારા ખરડો 2024ના ડ્રાફ્ટ અંગે સૂચનો માગ્યા છે

સરકારે મધ્યસ્થી અને સમાધાન સુધારા ખરડો 2024ના ડ્રાફ્ટ અંગે સૂચનો માગ્યા છે.કાયદા અને ન્યાય મંત્રાલયે જણાવ્યું કે, ‘સરકારે દેશમાં વિવાદના નિરાકરણની વ્યવસ્થાને મજબૂત કરવા અને વેપાર સરળતા માટે અનેક પગલાં લીધા છે. કાયદાકીય બાબતોનું વિભાગ હાલમાં મધ્યસ્થી અને સમાધાન અધિનિયમ 1996માં વધુ સુધારા કરવાની પ્રક્રિયામાં છે.’ આ ખરડાનો ઉદ્દેશ સંસ્થાકીય મધ્યસ્થીને પ્રોત્સાહન આપવું, મધ્યસ્થીમાં અદાલતનો હસ્તક્ષેપ ઘટાડવા અને મધ્યસ્થી પ્રક્રિયાને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાનો સમાવેશ થાય છે. વિભાગે આવતા મહિનાની ત્રણ તારીખ સુધીમાં આ ડ્રાફ્ટ પર સામાન્ય લોકો પાસેથીસૂચનો માગ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.