સરકારે કહ્યું કે આજે દેશમાં રેલ અકસ્માતોમાં 90 ટકાનો ઘટાડો થયો છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 2004 થી 2014 દરમિયાન 1 હજાર 711 રેલ અકસ્માતો થયા હતા. આ આંકડો 2024-2025 માં ઘટીને 31 થયો અને 2025-2026 માં 11 થઈ શકે છે.
આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી અને સુરક્ષા ભારતીય રેલ્વે માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
Site Admin | ડિસેમ્બર 12, 2025 7:56 પી એમ(PM)
સરકારે કહ્યું કે દેશમાં રેલવે અકસ્માતોમાં 90 ટકાનો ઘટાડો થયો