મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કચેરીઓમાં લોકોને હાલાકી ન ભોગવવી પડે તેવું કામ કરવા સૂચના આપી છે. ગઈકાલે મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, મુખ્યમંત્રીએ લાંબા સમયથી પડતર અરજદારોની અરજીનો ઝડપી નિકાલ આવે તેવા પ્રયાસ હાથ ધરવાની સૂચના આપી છે.રાજ્યના જન સંપર્ક કાર્યાલય, જિલ્લા અને તાલુકા પંચાયત, આરોગ્ય કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં આવતા અરજદારો કે સેવા મેળવવા આવતા લોકોની સમસ્યા અને ફરિયાદનું સત્વરે નિકાલ થાય તેવા પ્રયાસો હાથ ધરવા પણ કહેવાયું હોવાનું શ્રી પટેલે ઉમેર્યું હતું. જ્યારે લાંબા સમય સુધી અરજી પડતર રાખતા અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલાં લેવાશે તેમ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.
Site Admin | એપ્રિલ 3, 2025 10:10 એ એમ (AM)
સરકારી કચેરીઓમાં લોકોને હાલાકી ન પડે તેવું કામ કરવા મુખ્યમંત્રીની સૂચના
