એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં 21 સ્થળોએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002ની જોગવાઈઓ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સબરીમાલા મંદિર સંબંધિત સોના અને અન્ય મંદિર સંપત્તિના દૂરઉપયોગના સંદર્ભમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
કેરળ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલી અનેક FIRs પરથી આ તપાસ કરાઇ છે જેમાં ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડના અધિકારીઓ, ખાનગી વ્યક્તિઓ, મધ્યસ્થી અને ઝવેરીઓની સંડોવણીના કાવતરાનો ખુલાસો થયો છે.
પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે 2019-2025 ના સમયગાળા દરમિયાન સોને મઢાયેલી પવિત્ર કલાકૃતિઓને સત્તાવાર રેકોર્ડમાં તાંબાની પ્લેટ તરીકે જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી અને મંદિર પરિસરમાંથી ગેરકાયદેસર રીતે દૂર લઇ જવાઇ હતી.
Site Admin | જાન્યુઆરી 20, 2026 1:49 પી એમ(PM)
સબરીમાલા મંદિર સંબંધિત સોના અને અન્ય મંદિર સંપત્તિના દૂરઉપયોગ મામલે ઇડીના કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં 21 સ્થળોએ દરોડા